January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.28/11/24ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. 9-30 કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્‍ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ-ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્‍થળ (1) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (2) ઔરંગા બ્રિજ પાસેવલસાડ – ગુંદલાવ રોડ અને (3) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાત લેશે. તા.29/11/24ને શુક્રવારે સવારે 9-30 કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે. ત્‍યારબાદ 10 કલાકે પરિયા સ્‍કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્‍થિત રહેશે.
તા.30/11/24ને શનિવારે સવારે 9 કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. 9-30 કલાકે ચલામાં 66 કે.વી. સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન અને 10-30 કલાકે છીરી ખાતે 66 કેવી સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા.01/12/24ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. 9-30 કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત કંપાઉન્‍ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.

Related posts

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment