વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આઈ.ટી.આઈ. ઘોઘલા (દીવ)ના કેમ્પસમાં આઈ.ટી.આઈ.ના સ્ટાફગણ તેમજ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી ડાયરેક્ટર ઓફ હેલ્થ ઓફિસના પરિપત્ર પ્રમાણે ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને ગ્રુપ ઈન્સ્ટ્રક્ટર શ્રી અરવિંદ ડી. જેઠવાના માર્ગદર્શન પ્રમાણે તાલીમાર્થીઓને આ બાબતે વિશેષ માહિતી આપીને સંયમ અને ધીરજપૂર્વક દરેક કાર્ય કરવુ તેવુ જણાવાયું હતું. દરેકે આત્મહત્યા નિવારણ દિવસની ગુજરાતીમાં પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. ઘોઘલાના વરિષ્ઠ ઈન્સ્ટ્રક્ટર અને આઈસી ગ્રુપ-ઈન્સ્ટ્રક્ટર શ્રી મહેશ કે. બોરીચા અને સંસ્થાના સ્ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુરૂપ સહકાર આપ્યો હતો.