January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપની દ્વારા બીલીયાની પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી તેમજ શાળાના સંચાલકો દ્વારા માંગણી કરતા બે વર્ગખંડ તૈયાર કર્યા હતા. આ નિર્માણ કરવામાં આવેલા બે ઓરડા શાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મુકવા લોકાર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે ખાસ ઉપસ્‍થિત રહી સરીગામની કોરોમંડલ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત જન ઉપયોગી કરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પારડી પ્રાંતઅધિકારી શ્રી વસાવા, ઉમરગામ મામલતદાર શ્રી આર.આર. ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી જીગ્નેશભાઈ, બીલીયા ગામના સરપંચ શ્રી ભરતભાઈ, કલગામ ગામના સરપંચ શ્રી રોહિતભાઈ, માજી ધારાસભ્‍ય શ્રી શંકરભાઈ વારલી, શાળાના શિક્ષકગણ અને વાલીઓ તેમજ કોરોમંડલ કંપનીના યુનિટ હેડ શ્રી સંતોષ સી. એચ, એચ.આર. મેનેજર શ્રી નરેશભાઈ પટેલ, સીએસઆર ડિપ્‍યુટી મેનેજર શ્રી બ્રિજેશભાઈ પંચાલ વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

કોવિડ-19ના રોકથામ હેતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment