(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: રાજસ્થાનથી પ્રારંભ કરવામાં આવેલ ‘ગૌ રથ યાત્રા’ દાદરા નગર હવેલીના દાદરા ગામેઆવી પહોંચતા અહીં કળશયાત્રા દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌવંશની રક્ષા, સંરક્ષણ અને સવર્ધનને સમર્પિત વિશ્વની સૌથી મોટી 31 વર્ષિય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મિક ચેતના પદયાત્રા જે 4 ડિસેમ્બર, 2012ના રોજ હલ્દીઘાટી, રાજસ્થાનથી પ્રારંભ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી ગુજરાત ભ્રમણ કરી રહી છે. સમસ્ત સમાજના કલ્યાણ અને સુધાર હેતુ નગર નગર વગર અન્ન સેવન કરી તપસ્વી સંત શ્રી અને સાધ્વી માંનો ગૌ રથ યાત્રાની સાથે દાદરા નગર હવેલીમાં પ્રવેશ કર્યો હતો, જે સેલવાસના હનુમાન મંદિર આમલી ખાતે અને કસ્તુરી ગ્રાઉન્ડ પર ગૌ કથા અને ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવી હતી. જેનો પ્રદેશના ભાવિક ભક્તોએ પણ લાભ લીધો હતો.