August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલના પ્રમુખ પદે આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં શિક્ષણના સ્‍તરમાં સુધારો કરી પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા સુધારાને જાળવી તેમાં વધારો કરવા મનન-મંથન કરવામાં આવ્‍યું હતું.
શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે આજે વિધિવત રીતે શિક્ષણ સમિતિનો હવાલો સંભાળી સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી. કાનન અને તેમની ટીમ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને શાળાનું સંચાલન પારદર્શક અને વિદ્યાર્થીલક્ષી બનાવવા જોર આપ્‍યું હતું.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે વિવિધ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી ચીજવસ્‍તુઓની જાણકારી પણ માંગી હતી અને કઈ શાળામાં શિક્ષકોની અપૂરતી હાજરી છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સિવણ ક્‍લાસ તથા મ્‍યુઝિક ક્‍લાસ શરૂ કરવા પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂકર્યો હતો. તેમણે શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ માટે એક કાર્યાલય ફાળવવા પણ રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમના કારણે આવતા દિવસોમાં દમણ જિલ્લાના પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનું શિક્ષણ ઔર વધુ પ્રભાવશાળી બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

Leave a Comment