Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલના પ્રમુખ પદે આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં શિક્ષણના સ્‍તરમાં સુધારો કરી પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા સુધારાને જાળવી તેમાં વધારો કરવા મનન-મંથન કરવામાં આવ્‍યું હતું.
શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે આજે વિધિવત રીતે શિક્ષણ સમિતિનો હવાલો સંભાળી સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી. કાનન અને તેમની ટીમ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને શાળાનું સંચાલન પારદર્શક અને વિદ્યાર્થીલક્ષી બનાવવા જોર આપ્‍યું હતું.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે વિવિધ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી ચીજવસ્‍તુઓની જાણકારી પણ માંગી હતી અને કઈ શાળામાં શિક્ષકોની અપૂરતી હાજરી છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સિવણ ક્‍લાસ તથા મ્‍યુઝિક ક્‍લાસ શરૂ કરવા પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂકર્યો હતો. તેમણે શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ માટે એક કાર્યાલય ફાળવવા પણ રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમના કારણે આવતા દિવસોમાં દમણ જિલ્લાના પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનું શિક્ષણ ઔર વધુ પ્રભાવશાળી બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

Leave a Comment