બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને કરેલી અરજીમાંથી મોટાભાગની અરજીઓનું સ્થળ ઉપર જ કરાયેલું સમાધાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, દાનહના કિલવણી ગ્રામ પંચાયતના કિલવણી ગામમાં તા.01/03/2024 અને 03/10/2024 ના રોજ ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા દાદરા અને નગર હવેલી, જેમાં કિલવણી ગામ પંચાયતના સરપંચ શ્રી જશવંતભાઈ સિંગાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરમાં લોકો માટે મામલતદાર, ગેસ કનેક્શન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ટોરેન્ટ પાવર, આધાર સેવા કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પેન્શન યોજના, મનરેગા, ડી- ફય્ન્પ્, કળષિ વિભાગ, આરોગ્ય વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ જેવા 13 જુદા જુદા વિભાગોના સ્ટોલ લગાવાયા હતા. જેના માધ્યમથી કિલવણી ગ્રામ પંચાયતના યોગ્ય લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કરાયા હતા. આ શિબિરમાં બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને અરજી કરી હતી, જેમાંથી મોટાભાગનીઅરજીઓનું સ્થળ ઉપર જ સમાધાન થવા પામ્યું હતું. એમ વિકાસ અને આયોજન અધિકારી-દાદરા નગર હવેલીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.