Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન દ્વારા આગામી સમયમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડિયું ઉજવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં તાલુકા સંગઠનના -મુખ શ્રી દિલીપભાઈ ભંડારીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભા પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવાજી, વિસ્‍તારક શ્રી હરકિશનભાઈ જયાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના અધ્‍યક્ષતા હેઠળ તેમજતાલુકા મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ અને શ્રી નરેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્‍થિતિ વચ્‍ચે તાલુકામાં કાર્યરત તમામ મોરચાના અધ્‍યક્ષશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડે સરીગામ કાર્યાલય ખાતે બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠકોમાં ઉપસ્‍થિત રહેલા તમામ મોરચાના અધ્‍યક્ષશ્રીઓ અને કાર્યકર્તાઓને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ નિમિત્તે આગામી સમયમાં સેવાકીય પખવાડિયું તરીકે ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત માહિતગાર કરવામાં આવ્‍યા હતા. બેઠકમાં લઘુમતી મોરચાના પ્રમુખશ્રી જફરુભાઈ ખાન, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન પ્રીતમનાની, યુવા મોરચાના પ્રમુખ શ્રી હસમુખભાઈ માછી, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ વારલી, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, કિસાન મોરચા પ્રમુખ શ્રી સંજીવભાઈ ઓઝા, અને બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી રાજેશભાઈ આહીર અને એમના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

Related posts

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર કચેરીમાં શપથ ગ્રહણ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

Leave a Comment