Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

પાનગા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : આજે દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ જગ્‍યાઓ પર આસો વદ બારસે‘વાઘબારસ’ના અવસરે ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ દ્વારા જંગલી પશુઓ, માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરોના રક્ષણ માટે વાઘદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચોક્કસ સ્‍થળે ગાય ભેંસ કે બકરા ભેગા કરવામાં આવે છે. જ્‍યાં વાઘદેવની પહેલાથી જ સ્‍થાપના કરેલી હોય છે. પશુઓ ચરાવતા ગોવાળોમાંથી બે ગોવાળોને પસંદ કરવામાં આવે છે. એકને વાઘ અને બીજાને ભાલુ બનાવવામાં આવે છે. બંનેને વાઘદેવની સામે બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા-અર્ચનામાં પાનગો( ચોખાના લોટમાંથી જાડો રોટલો બે પાનની વચ્‍ચે મૂકીને શેકેલો) રોટલો મૂકવામાં આવે છે. એની સાથે નાળિયેર, કાચા ચોખા, ફૂલ વગેરે મૂકવામાં આવે છે.
વાઘદેવની પૂજા પૂર્ણ થયા પછી પ્રતીક્ષામાં વાઘ ભાલુડાની પૂજા કરીને બંનેને તિલક કરી સવા રૂપિયો આપવામાં આવે છે અને ફરતે બીજા અન્‍ય તમામ ગોવાળો ચેવટા(એક પ્રકારનુ ફળ, ગોળ કાકડી) લઈને ઊભા હોય છે. પશુઓને ગોળ ફેરવતા જાય અને ભગત દ્વારા ખાસ જંગલમાંથી મેળવેલ ઔષધીનો છંટકાવ કરે છે. એવા ચાર આંટા પૂરા થાય એટલે વાઘ આવ્‍યાની બૂમ પડે છે અને વચ્‍ચે બેઠેલા વાઘ અને ભાલુ બનેલા ગોવાળો પાનગો લઈને ખૂબ ભાગે છે. ત્‍યારે ગોળ ઉભા રહેલાગોવાળો વાઘ અને ભાલુને મારવા દોડે છે અને વાઘ ભાલુ દૂર ભાગી જઈને પાનગો ખાઇને પરત આવે છે. પૂજાના અંત ભાગમાં ઘરે ઘરેથી ઉઘરાવેલા લોટમાં બનાવેલા પાનગો અને દાળ-ભાતનું વાઘ બારસની ઉજવણી કરતા લોકો સમુહ ભોજન કરવામાં આવે છે. બાદમાં પશુ ઉપર છાંટીને વધેલુ ઔષધ પોતપોતાના ઘરે લઈ જઈ બાકી રહેલા પશુઓ ઉપર છંટકાવ કરવામાં આવ્‍યું હતું. આ પ્રકારની કહાની પ્રમાણે આજે દાદરા નગર હવેલીના આદિવાસીઓ દ્વારા ‘વાઘબારસ’ નિમિત્તે પૂજાવિધિ અને સમુહ ભોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

Leave a Comment