January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સરકારી પોલિટેક્‍નિક, દમણના સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગે ગત તા.15મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ એન્‍જિનિયર્સ દિવસના ઉપલક્ષમાં નિષ્‍ણાત તકનીકી વાટાઘાટોનું આયોજન કર્યું હતું. જેમાં વ્‍યાખ્‍યાનનો વિષય ‘‘ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પરિયોજનાઓમાં ભૂ-તકનીકી તપાસનું મહત્‍વ” હતો અને એના મુખ્‍ય વક્‍તા પ્રોફેસર ડો. નીલિમા સત્‍યમ (સિવિલ એન્‍જિનિરીંગ વિભાગ આઈઆઈટી ઈન્‍દોર) હતા. વ્‍યાખ્‍યાન સિવિલ એન્‍જિનિયરીંગસંરચનાઓના નિર્માણ પહેલાં જરૂરી પ્રયોગ અને સર્વેક્ષણ પર કેન્‍દ્રીત હતું.
કાર્યક્રમના પ્રારંભમાં સંસ્‍થાના આચાર્ય ટી. બાલગનેસને સભાને સંબોધિત કરી એન્‍જિનિયર્સ દિવસ બાબતે માહિતી આપી હતી. તેઓએ આ આયોજન માટે વિભાગ પ્રમુખ ડો. વેંકટ હનુમંત રાવ ચિત્તેમના પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમના આયોજનમાં વેંકટરમણ અદુસુપલ્લે, વ્‍યાખ્‍યાતા અને હર્ષ મિશ્રા, વિદ્યાર્થી સંયોજક તથા અન્‍ય સ્‍ટાફ સભ્‍યો અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું આયોજન શ્રી સત્‍મ લીલાધરન (લાસ્‍ય લાઈફ સ્‍પેસેસ, મોટી દમણ)ના તરફથી કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે મોડલ/પોસ્‍ટર મેકિંગ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

Related posts

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

આજે વાપીમાં મોદીઃ આગમનની પૂર્વ સંધ્‍યાએ ભાજપ-પોલીસ અને પ્રજાજનોએ ભવ્‍ય સ્‍વાગતની તૈયારીઓ પૂર્ણ કરી: દાભેલ ચેકપોસ્‍ટથી વાપી સર્કિટ હાઉસનો રોડ બપોરે 2 થી રાત્રે 8 વાગ્‍યા સુધી બ્‍લોક રહેશેઃ ટ્રાફિકડાયવર્ઝન કરાશે

vartmanpravah

Leave a Comment