July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ડાંગ – વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે તેમના મતવિસ્‍તારના કાર્યકરો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના નાયબ દંડક ધવલભાઈ પટેલે ચીખલી સર્કિટ હાઉસ ખાતર ચીખલી અને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ તથા ચુનિભાઈ, મહામંત્રી લિતેશ ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, એપીએસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ, ભાજપ કિશાન મોરચા આઇટી સેલના દીપકભાઈ સોલંકી, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્‍થિતમાં તેમના મતવિસ્‍તારમાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામ તાલુકાના 41-ગામોના કાર્યકરો સાથે બેઠક યોજી તમામ સાથે પરિચય કરી રજૂઆતો સાંભળી હતી.
બાદમાં સાંસદ ધવલભાઈ પટેલે ઉપસ્‍થિતોને સંબોધતા જણાવ્‍યું હતું કે, તાજેતરમાં દેશની વડી અદાલતની વાતને ટાંકીને કોંગ્રેસ,આમ આદમી પાર્ટીસહિત વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આદિવાસીઓને અનામતના મુદ્દે ગેરમાર્ગે દોરી ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સ્‍પષ્ટ અનામતમાં નોન ક્રિમિલેયર કે કોઈ પેટા કેટેગરી ભાજપ સરકાર કરવાની નથી. અને અનામતની વર્તમાન જોગવાઈમાં પણ કોઈ ફેરફાર કરવાની નથી. ત્‍યારે લોકોને ગેરમાર્ગે દોરનારા નેતાઓને જ તેમના પક્ષનું વલણ શું છે તે જાહેર કરવા જણાવી જડબાતોડ જવાબ આપવા હાંકલ કરી હતી. સાથે ધવલ પટેલે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, બજેટમાં વધારો, એકલવ્‍ય જેવી શાળાઓ વિજ્ઞાન પ્રવાહની શાળા કોલેજ, સિકલસેલ રોગને નાથવા માટે જોગવાઈ સહિત આદિવાસીઓ માટે ભાજપ સરકારે અનેક કાર્યો કર્યા હોવાનું ઉમેર્યું હતું. સાથે તેમણે નજીકના દિવસોમાં લોક દરબાર યોજવાની પણ જાહેરાત કરી હતી.

Related posts

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment