(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્સલ્ય સંસ્થામાં ઘોઘલા સ્થિત યુવા સંગઠન દ્વારા પ્રત્યેક મનોદિવ્યાંગ બાળકોને એક સ્કૂલ બેગ અને એક જોડી બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવા સંગઠન ઘોઘલાનાં સભ્યો પૈકી ડો.કળણાલ શાહ, મીતેશ કામલિયા, અભિષેક સોલંકી, અમીત વાઘેલા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી શ્રી ઉસ્માનભાઈ વોરા દ્વારા યુવા સંગઠનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.