February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, શહેર મહિલા મોરચા નવસારી-વિજલપોરના સહયોગ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા દશેરા ટેકરી, મિશ્રશાળા નવસારી ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યપંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા દર્દીઓની આયુર્વેદ પધ્ધતિથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુગર ચેકઅપ, સ્વાસ્થવૃત અને પોષણ સબંધિત પેમ્પલેટ વિતરણ, મંકીપોક્ષ વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વર્ધક દવા વિતરણ, ઔષધિય રોપા વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સંસ્કાર ભારતી સ્કુલ, નવસારી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ હતી. જેમાં કિશોરીઓને રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ, પેમ્પલેટ વિતરણ અને યોગ સમજ આપવામાં આવી હતી. કાલિયાવાડી અને દશેરા ટેકરી આંગણવાડી ખાતે સગર્ભા બહેનો-બાળકો તેમજ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે આદિવાસી અનાથ છાત્રાલયમાં યોગ સમજ, પોષણ સબંધિત દવા, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ ભાગ લીધો હતો.

Related posts

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

Leave a Comment