April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, શહેર મહિલા મોરચા નવસારી-વિજલપોરના સહયોગ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા દશેરા ટેકરી, મિશ્રશાળા નવસારી ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યપંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા દર્દીઓની આયુર્વેદ પધ્ધતિથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુગર ચેકઅપ, સ્વાસ્થવૃત અને પોષણ સબંધિત પેમ્પલેટ વિતરણ, મંકીપોક્ષ વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વર્ધક દવા વિતરણ, ઔષધિય રોપા વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સંસ્કાર ભારતી સ્કુલ, નવસારી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ હતી. જેમાં કિશોરીઓને રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ, પેમ્પલેટ વિતરણ અને યોગ સમજ આપવામાં આવી હતી. કાલિયાવાડી અને દશેરા ટેકરી આંગણવાડી ખાતે સગર્ભા બહેનો-બાળકો તેમજ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે આદિવાસી અનાથ છાત્રાલયમાં યોગ સમજ, પોષણ સબંધિત દવા, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

Leave a Comment