October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના બ્રિજ જેવી પેર્ટનથી આ બ્રિજ તૈયાર થશે
આ બ્રીજ બનવાથી ઉમરસાડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના સુંદર દરિયાકિનારાના વિકાસ માટે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
તાજેતરમાં જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી ૨૬ ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર ૫.૫૦ મીટર પહોળા અને ૧૨૬ મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.આ પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું અને માટે ભરતભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દિવ્યાબેનપટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Related posts

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

Leave a Comment