અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના બ્રિજ જેવી પેર્ટનથી આ બ્રિજ તૈયાર થશે
આ બ્રીજ બનવાથી ઉમરસાડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના સુંદર દરિયાકિનારાના વિકાસ માટે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
તાજેતરમાં જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી ૨૬ ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર ૫.૫૦ મીટર પહોળા અને ૧૨૬ મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.આ પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું અને માટે ભરતભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દિવ્યાબેનપટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.