(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્શન ઓબ્ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્ધુની નિયુક્તિ કરી છે. જેમનું કાર્યાલય સેલવાસ મ્યુનિસિપલ ભવનના પહેલાં માળે 1-બી બ્લોકમાં તૈનાત કરાયું છે. શ્રીમતી જસવિંદર કૌર સિધ્ધુ સવારે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે પણ મળી શકશે. તેમનો મોબાઈલ નંબર 08799494040 છે.