January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: આમધરા ગામમાં છેલ્લા ઘણા સમયથીસ્‍થાનિક લોકો દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિની આવર નવાર ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે. આ દરમ્‍યાન આજે આગામી વર્ષનું આયોજન, નરેગા યોજનાનું લેબર બજેટ, આંગણવાડી સહિતની યોજનાઓ અંગે ગ્રામસભા યોજવાની હતી. જોકે તાલુકા અને જિલ્લા કક્ષાએથી એકપણ અધિકારી ઉપસ્‍થિત રહ્યા ન હતા.
આમધરા ગામે ગ્રામસભામાં સરપંચ અને ડેપ્‍યુટી સરપંચ બન્ને ગેરહાજર હતા. જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંજયભાઈ દ્વારા ઉપલા અધિકારીનું માર્ગદર્શન મેળવી ઉપસ્‍થિત વોર્ડ સભ્‍યો અને ગ્રામજનોમાંથી ગ્રામસભાનું અધ્‍યક્ષ સ્‍થાન લેવા જણાવ્‍યું હતું. પરંતુ કોઈ અધ્‍યક્ષ સ્‍થાન લેવા તૈયાર ન થતા આખરે ગ્રામસભા રદ કરવાની ફરજ પડી હતી.
ગ્રામસભામાં વિકાસના કામોમાં ગેરરીતિ સંદર્ભે પ્રશ્નોનો મારો ચાલશે તેવી ભીતિથી સરપંચ હાજર ન રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ સરપંચ દ્વારા રજા રીપોર્ટ આપી ટીડીઓ પાસેથી રજા મંજૂર કરાવાની હોય છે. પરંતુ સરપંચે તલાટીને રજા રિપોર્ટ આપ્‍યો હતો અને ડેપ્‍યુટી સરપંચે તો રજા રિપોર્ટ પણ આપ્‍યો ન હતો.
ગ્રામજનો દ્વારા હવે સરપંચ અને તાલુકા-જિલ્લાના અધિકારીઓ હાજર રહે ત્‍યારે જ ગ્રામસભા યોજવી તેમસ્‍પષ્ટ પણે જણાવી દેતા ગ્રામસભા આખરે રદ્‌ કરવામાં આવી હતી.

Related posts

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

Leave a Comment