December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન બાપુ નામનો અભણ બાપુ દરગાહ ચલાવી રહ્યો છે. બાપુએ હનુમાન જયંતિ ઉજવવાની બહાર પાડેલી જાહેર પત્રિકામાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. દર્શન કરવા પધારવાના આમંત્રણ જોગ પત્રિકાને લઈ સમસ્‍ત હિંદુ સમાજની લાગણી દુબાઈ હતી. મામલો વધુ વણશે તે પહેલા વલસાડ પોલીસ ચેતન બાપુને પોલીસસ્‍ટેશન ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્‍ટેશન દોડી ગયા હતા.
વલસાડ નજીક આવેલા રાબડા ગામે અભણ ચેતનબાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે. આ દરગાહમાં હનુમાન જયંતિ ઉજવણીનું આયોજન તા.23ના રોજ રાખવાનું હોવાથી તે મતલબની જાહેર પત્રિકા બહાર પાડી હતી. જેમાં હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્‍દો લખાયા હતા. પત્રિકામાં લખાયેલું હતું કે હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. તેના દર્શનનો લાભ લેવાનું જણાવાયું હતું. પત્રિકા વાયરલ થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા પોલીસ ચેતન બાપુને ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના અગ્રણી બકુલ રાજગોર, ગૌરક્ષક સંઘના દિનેશ ચૌહાણ સહિતના હિંદુ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશનમાં ભેગા થયા હતા અને માંગણી કરી હતી કે ઢોંગી, અભણ, અંધશ્રધ્‍ધા ફેલાવતા ચેતન બાપુ ઉપર ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધો. હિંદુ આગેવાનોએ બાપુના ઢોંગી અંધશ્રધ્‍ધા અંગે અનેક આક્ષેપો કર્યા હતા. બાળકો ન થતા હોય તો બાપુ પૈસા લઈને બાધા-આખડી જેવા ઢોંગ પણ ચલાવી રહ્યો છે. બાપુની હનુમાન જયંતિની કપોળ કલ્‍પીત પત્રિકાને લઈને હિંદુઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

Related posts

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિની પહેલથી એસ.બી.આઈ. નાની દમણથી જેટી સુધીના વોર્ડ નં.5ના રોડના પેચવર્કનું કામ પૂર્ણઃ ગણપતિ મહોત્‍સવની ઉજવણી માટે મોટી રાહત

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

Leave a Comment