ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન બાપુ નામનો અભણ બાપુ દરગાહ ચલાવી રહ્યો છે. બાપુએ હનુમાન જયંતિ ઉજવવાની બહાર પાડેલી જાહેર પત્રિકામાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. દર્શન કરવા પધારવાના આમંત્રણ જોગ પત્રિકાને લઈ સમસ્ત હિંદુ સમાજની લાગણી દુબાઈ હતી. મામલો વધુ વણશે તે પહેલા વલસાડ પોલીસ ચેતન બાપુને પોલીસસ્ટેશન ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.
વલસાડ નજીક આવેલા રાબડા ગામે અભણ ચેતનબાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે. આ દરગાહમાં હનુમાન જયંતિ ઉજવણીનું આયોજન તા.23ના રોજ રાખવાનું હોવાથી તે મતલબની જાહેર પત્રિકા બહાર પાડી હતી. જેમાં હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો લખાયા હતા. પત્રિકામાં લખાયેલું હતું કે હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. તેના દર્શનનો લાભ લેવાનું જણાવાયું હતું. પત્રિકા વાયરલ થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા પોલીસ ચેતન બાપુને ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના અગ્રણી બકુલ રાજગોર, ગૌરક્ષક સંઘના દિનેશ ચૌહાણ સહિતના હિંદુ અગ્રણીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા અને માંગણી કરી હતી કે ઢોંગી, અભણ, અંધશ્રધ્ધા ફેલાવતા ચેતન બાપુ ઉપર ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધો. હિંદુ આગેવાનોએ બાપુના ઢોંગી અંધશ્રધ્ધા અંગે અનેક આક્ષેપો કર્યા હતા. બાળકો ન થતા હોય તો બાપુ પૈસા લઈને બાધા-આખડી જેવા ઢોંગ પણ ચલાવી રહ્યો છે. બાપુની હનુમાન જયંતિની કપોળ કલ્પીત પત્રિકાને લઈને હિંદુઓમાં રોષની લાગણી જોવા મળી હતી.