Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તાલીમ યોજાઈ

આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પાંચ વિધાનસભા મત વિસ્‍તારમાં યોજાનારી સામાન્‍ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.
આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્‍થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી/કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ રહેશે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએપ્રેઝન્‍ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું.
આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી અને રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

Leave a Comment