Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

ચીખલીતાલુકામાં પાંજરાની અછત સર્જાતા વનવવિભાગ દ્વારા
વાંસદા તાલુકામાંથી પાંજરા મંગાવા પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ગામોમાં દિવસેને દિવસે દીપડાના ભયનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. ગતરોજ ફડવેલમાં પણ બચ્‍ચા સાથે દીપડી નજરે પડી હતી. ચીખલી તાલુકામાં પાંજરાની અછત સર્જાતા વન વિભાગ દ્વારા બે જેટલા પાંજરા વાંસદાથી મંગાવાયા હતા. જોકે એક પણ પાંજરામાં કયાંય દીપડો ન પૂરાતા ગામેગામ ફરતા દીપડાઓ તાલુકાને વહેલો છોડે તેમ લાગતું નથી.
સાદકપોરમાં એક જ રાતમાં માનવી અને પશુ પર દીપડાના હુમલા બાદ ફડવેલના નવા ફળિયામાં પણ ઘરે જઈ રહેલ વીજ કંપનીના કર્મચારીની મોટરસાયકલ સામે પણ દીપડો ધસી આવ્‍યો હતો. આ ઉપરાંત પીપલગભણ, ખુડવેલ, દેગામ, સાદડવેલ, તલાવચોરા સહિતના ગામોમાં પણ દીપડાઓ જાહેરમાં આટાફેરા કરતા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી તેમાં મારણ પણ મૂકવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્‍યાએ તો કેમેરા પણ ગોઠવાયા છે. પરંતુ એક પણ દીપડો પાંજરે પુરાયો નથી.
આ દરમ્‍યાન ગતરાત્રે સાદકપોરના ચાડીયા ફળીયામાં દિલીપ શંકરભાઈના ઘરેથી દીપડો બકરું ઉઠાવી ગયો હતો. અને આ વિસ્‍તારમાં જ દીપડો જોવા પણ મળતા ગામના સરપંચ સંજયભાઈપટેલે વન વિભાગને જાણ કરી હતી અને સાદકપોરના ધડુલી ફળીયા વિસ્‍તારમાં વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ફડવેલના નવા ફળીયામાં પણ રાત્રે ત્રણેક બચ્‍ચા સાથે દીપડો નજરે પડતા તાલુકા સભ્‍ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ સહિતનાઓએ વનવિભાગને અવગત કર્યું હતું. તાલુકાના અનેક ગામોને દીપડાઓએ રીતસરના બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.

Related posts

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

Leave a Comment