January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહના કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રી થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું કરંટ લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડવા સાથે ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાદબારીમાંથી છટકવા કરેલા પ્રયાસોની પણ ખુબ જ ટીકા થઈ રહી છે અને મૃતકના પરિવારને યોગ્‍ય વળતર આપવા પણ કોઈપણ પ્રકારનો હરખ દર્શાવ્‍યો નથી. તેથી આ બાબતે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે મૃતક મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવામાં આવે તે માટે દાનહના કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે.
આ ઘટનાની જાણકારી મુજબ મુકેશ મધુ વાઘ વીજળીના થાંભલા ઉપર કામ કરવા એણે સુપરવાઈઝરને જણાવી પાવર સપ્‍લાય બંધ કરી વીજળીના થાંભલા પર ચડીવીજળીના તારનું રીપેરીંગ કરી રહ્યા હતા, ત્‍યારબાદ અચાનક પાવર સપ્‍લાય શરૂ થતાં મુકેશ વાઘને વીજળીનો જોરદાર કરંટ લાગતા જગ્‍યા ઉપર જ જીવ ગુમાવી દીધો હતો.
આ ઘટના બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે જણાવ્‍યું છે કે, આટલી મોટી કંપનીમાં આટલી મોટી લાપરવાહી કરવામાં કેવી રીતે કરવામાં આવી કે જેનાથી વ્‍યક્‍તિનો જીવ ગયો. આ ભૂલ ક્‍યારેય માફ કરવા લાયક નથી અને અમે દરેક જણ ઈચ્‍છીએ છીએ કે દુર્ઘટના બાબતની યોગ્‍ય તપાસ થાય અને જેઓ મોતને ભેટયા છે એમના પરિવારને મદદ યોગ્‍ય સહાય મળે. મૃતક મુકેશ વાઘના પરિવારમાં ફક્‍ત એના વૃદ્ધ માતા-પિતા રહે છે અને મુકેશ વાઘ તેઓનો એક માત્ર સહારો હતો. મૃતકના પરિવારને આજીવન નિર્વાહ થઈ શકે એવી સહાયતા ટોરેન્‍ટ પાવર લીમીટેડ દાનહ દ્વારા મળે એવો આદેશ આપના તરફથી જારી કરવામાં આવે એવી અપીલ અમે સૌના તરફથી કરીએ છીએ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે કલેક્‍ટરને નિવેદન કરતા જણાવ્‍યું છે કે આવનાર સમયમાં ટોરેન્‍ટ પાવર લીમીટેડ કંપની દ્વારા આવી લાપરવાહી નહીં થાય એ સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપના તરફથી જારી કરવામા આવે એવી અમારી માંગ છે.

Related posts

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment