Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહના કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રી થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું કરંટ લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડવા સાથે ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાદબારીમાંથી છટકવા કરેલા પ્રયાસોની પણ ખુબ જ ટીકા થઈ રહી છે અને મૃતકના પરિવારને યોગ્‍ય વળતર આપવા પણ કોઈપણ પ્રકારનો હરખ દર્શાવ્‍યો નથી. તેથી આ બાબતે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે મૃતક મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવામાં આવે તે માટે દાનહના કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે.
આ ઘટનાની જાણકારી મુજબ મુકેશ મધુ વાઘ વીજળીના થાંભલા ઉપર કામ કરવા એણે સુપરવાઈઝરને જણાવી પાવર સપ્‍લાય બંધ કરી વીજળીના થાંભલા પર ચડીવીજળીના તારનું રીપેરીંગ કરી રહ્યા હતા, ત્‍યારબાદ અચાનક પાવર સપ્‍લાય શરૂ થતાં મુકેશ વાઘને વીજળીનો જોરદાર કરંટ લાગતા જગ્‍યા ઉપર જ જીવ ગુમાવી દીધો હતો.
આ ઘટના બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે જણાવ્‍યું છે કે, આટલી મોટી કંપનીમાં આટલી મોટી લાપરવાહી કરવામાં કેવી રીતે કરવામાં આવી કે જેનાથી વ્‍યક્‍તિનો જીવ ગયો. આ ભૂલ ક્‍યારેય માફ કરવા લાયક નથી અને અમે દરેક જણ ઈચ્‍છીએ છીએ કે દુર્ઘટના બાબતની યોગ્‍ય તપાસ થાય અને જેઓ મોતને ભેટયા છે એમના પરિવારને મદદ યોગ્‍ય સહાય મળે. મૃતક મુકેશ વાઘના પરિવારમાં ફક્‍ત એના વૃદ્ધ માતા-પિતા રહે છે અને મુકેશ વાઘ તેઓનો એક માત્ર સહારો હતો. મૃતકના પરિવારને આજીવન નિર્વાહ થઈ શકે એવી સહાયતા ટોરેન્‍ટ પાવર લીમીટેડ દાનહ દ્વારા મળે એવો આદેશ આપના તરફથી જારી કરવામાં આવે એવી અપીલ અમે સૌના તરફથી કરીએ છીએ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે કલેક્‍ટરને નિવેદન કરતા જણાવ્‍યું છે કે આવનાર સમયમાં ટોરેન્‍ટ પાવર લીમીટેડ કંપની દ્વારા આવી લાપરવાહી નહીં થાય એ સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપના તરફથી જારી કરવામા આવે એવી અમારી માંગ છે.

Related posts

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વાપી સ્‍ટેશન નજીક મેમુ ટ્રેનમાં યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

vartmanpravah

Leave a Comment