January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

સંઘપ્રદેશમાં સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના ગઠન બાદ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા આવવાની સાથે સગાંવાદ તથા ભ્રષ્‍ટાચાર ઉપર લાગેલી રોક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવતી કાલ તા.31મી ઓક્‍ટોબરના રોજ સાંજે 4 વાગ્‍યે પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં સફળ થયેલા ઉમેદવારોને આવતી કાલે એપોઈન્‍ટમેન્‍ટ લેટરનું પણ વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં થતી તમામ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા લાવી મેરિટના ધોરણે ઉમેદવારોની નિમણૂક માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડનું ગઠન કરવાનો મહત્‍વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેના ફળસ્‍વરૂપ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ભરતીઓમાં સગાંવાદ કે ભ્રષ્‍ટાચારના ગંભીર સંગીન આરોપો લાગ્‍યાનથી.

Related posts

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment