સંઘપ્રદેશમાં સ્ટાફ સિલેક્શન બોર્ડના ગઠન બાદ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા આવવાની સાથે સગાંવાદ તથા ભ્રષ્ટાચાર ઉપર લાગેલી રોક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવતી કાલ તા.31મી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્ય અતિથિ પદે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં સફળ થયેલા ઉમેદવારોને આવતી કાલે એપોઈન્ટમેન્ટ લેટરનું પણ વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં થતી તમામ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા લાવી મેરિટના ધોરણે ઉમેદવારોની નિમણૂક માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્ટાફ સિલેક્શન બોર્ડનું ગઠન કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફળસ્વરૂપ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ભરતીઓમાં સગાંવાદ કે ભ્રષ્ટાચારના ગંભીર સંગીન આરોપો લાગ્યાનથી.