April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તા.11/11/2022ના રોજ સવારે 11.30 વાગ્‍યાના સુમારે પ્રેમીદેવી લક્ષ્મણભાઈ ગુજ્જર (ઉ.વ.30) (હાલ રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા તા.ખેરગામ) (મૂળ રહે.જરડુખેડા પરા ભીલવાડા, રાજસ્‍થાન) પોતાના ઘરે જમવાનું બનાવતી વખત દાઝી ગઈ હતી. દરમ્‍યાન શરીરે 90 ટકા દાઝી જતા પ્રથમ સારવાર અર્થે વલસાડ ખાતે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમ્‍યાન તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ લક્ષ્મણભાઈ દેવજી ગુજ્જર (રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા, તા.ખેરગામ) (મુળ રહે. જરડુખેડા પેરા ભીલવાડા, રાજસ્‍થાન) એ આપતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ શ્રી જે.વી. ચાવડા કરી રહ્યા છે.

Related posts

વાપી જે.સી.આઈ. અને ઈન્‍ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્‍યા

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment