(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તા.11/11/2022ના રોજ સવારે 11.30 વાગ્યાના સુમારે પ્રેમીદેવી લક્ષ્મણભાઈ ગુજ્જર (ઉ.વ.30) (હાલ રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા તા.ખેરગામ) (મૂળ રહે.જરડુખેડા પરા ભીલવાડા, રાજસ્થાન) પોતાના ઘરે જમવાનું બનાવતી વખત દાઝી ગઈ હતી. દરમ્યાન શરીરે 90 ટકા દાઝી જતા પ્રથમ સારવાર અર્થે વલસાડ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમ્યાન તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ લક્ષ્મણભાઈ દેવજી ગુજ્જર (રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા, તા.ખેરગામ) (મુળ રહે. જરડુખેડા પેરા ભીલવાડા, રાજસ્થાન) એ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ શ્રી જે.વી. ચાવડા કરી રહ્યા છે.