April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

ઋતુચક્રના પલટાને કારણે ફળનાં ઉત્‍પાદન ઉપર પડેલી માઠી અસર વર્તાતા 10 થી 15 મે પછી સ્‍વાદિષ્ટ હાફૂસ ચાખવા મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: કેરીના સ્‍વાદ રસીયા વલસાડી હાફૂસ બજારમાં આવે તેની મીટ માંડીને બેઠા છે જોકે એપ્રિલ માસ પૂર્ણ થયો છે અને મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં હજી વલસાડી હાફૂસ બજારમાં દેખાતી નથી. વાતાવરણમાં આવી રહેલા ફેરફાર અને ઋતુચક્રના પલટાને કારણે ફળનાં ઉત્‍પાદન ઉપર તેની માઠી અસર વર્તાઈ રહી છે. સામાન્‍ય રીતે એપ્રિલ માસમાં વલસાડી હાફૂસ કેરી જેવી સ્‍વાદિષ્ટ કેરી બજારમાં આવવાની શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે આખો એપ્રિલ માસ પૂર્ણ થયો અને મે મહિનો શરૂ થયો તેમ છતાં સ્‍વાદિષ્ટ કેરી હાફૂસ બજારમાં જોવા મળતી નથી જ્‍યારે ખેડૂતોના જણાવ્‍યા પ્રમાણે વરસાદના માવઠા થતાં બદલાતા હવામાનને કારણે આમ્રવૃક્ષ ઉપર બદલાતા ઋતુચક્રને કારણે આમ્ર વૃક્ષ ઉપર આ વર્ષે ફલાવરિંગ મોળું થતાં પાછતરો પાક આવ્‍યો છે જેને લઈને હજી વૃક્ષો ઉપર કેરીના ફળ નાના અને કુમળા છે હજી એક સપ્તાહથી વધુ દિવસો પછી ફળ પાકટ બને તેવી શકયતા હોય છે એવામાં 15 થી 20 મે પછી ખરેખર સ્‍વાદિષ્ટ હાફૂસકેરીનું સ્‍વાદ ચાખવા મળશે. જો કે આ વખતે કેરીનો પાક પાછલા વર્ષની સરખામણીએ ઘણે જ ઓછો છે જેથી કેરીની સીઝન અલપઝલપમાં પૂર્ણ થશે. ખેડૂતોને આ વર્ષે આમ્રફળને લઈ ઝાઝી કોઈ આશા દેખાતી નથી વળી બજારમાં પોષણ જ્ઞણ ભાવ મળશે કે કેમ તે પણ ખેડૂતોને મુંઝવતો પ્રશ્ન બની રહ્યો છે? વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી છતાં વાતાવરણમાં પલટાથી આંબાવાડીમાં ઉપજ લેવાની પધ્‍ધતિને બદલવા માટે અને નવી શોધ માટે સંકેત આપી રહ્યાનું વર્તાઈ રહ્યું છે.
‘‘ઘેજ ભરડા ગામનાં ખેડૂત હિતેશભાઈના જણાવ્‍યા અનુસાર અમારી વાડીઓમાં હાફૂસનાં ઝાડોનો જ ઉછેર કરાયો હતો. એક સમયે અમારા ઘરે પણ હાફૂસ 400 થી 500 મળ કેરીનુ ઉત્‍પાદન થતું હતું. સમય જતાં આ ઉત્‍પાદન ઘટતું ગયું.”
‘‘એપીએમસી સ્‍થિત કેરીના વેપારી નરેન્‍દ્રભાઈના જણાવ્‍યા અનુસાર બજારમાં હાફૂસની કેરી ઓછી આવે છે.”

Related posts

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

Leave a Comment