March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: આરોગ્‍ય વિભાગ દીવ દ્વારા આજરોજ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે ‘‘સંપૂર્ણ રસીકરણ/ ઓરિ-રુબેલાનાબુદી વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા WHO ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના તમામ સ્‍પેશિયલીસ્‍ટ તબીબો, મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ., એ.એન.એમ. બહેનો તથા હેલ્‍થ સટાફ હાજર રહેલ. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ દીવ કલેક્‍ટર શ્રી બ્રહ્માના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને વય અનુસાર નિયમિત રસીકરણ કરવામાં આવે છે. સાથે સાથે રસીથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્‍સ પણ ચાલી રહ્યું છે. દરેક વાલીઓ પોતાના બાળકોને નિયત સમયે નિઃશુલ્‍ક રસી મુકાવે એવો અનુરોધ કરવામાં આવ્‍યો હતો. WHOના ડો. વિનયકુમાર દ્વારા તમામ સ્‍ટાફ ને પ્રશિક્ષણ આપવામાં આવેલ.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

Leave a Comment