Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: આરોગ્‍ય વિભાગ દીવ દ્વારા આજરોજ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે ‘‘સંપૂર્ણ રસીકરણ/ ઓરિ-રુબેલાનાબુદી વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા WHO ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના તમામ સ્‍પેશિયલીસ્‍ટ તબીબો, મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ., એ.એન.એમ. બહેનો તથા હેલ્‍થ સટાફ હાજર રહેલ. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ દીવ કલેક્‍ટર શ્રી બ્રહ્માના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લામાં તમામ બાળકો અને સગર્ભા બહેનોને વય અનુસાર નિયમિત રસીકરણ કરવામાં આવે છે. સાથે સાથે રસીથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્‍સ પણ ચાલી રહ્યું છે. દરેક વાલીઓ પોતાના બાળકોને નિયત સમયે નિઃશુલ્‍ક રસી મુકાવે એવો અનુરોધ કરવામાં આવ્‍યો હતો. WHOના ડો. વિનયકુમાર દ્વારા તમામ સ્‍ટાફ ને પ્રશિક્ષણ આપવામાં આવેલ.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

Leave a Comment