October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત (N.S.S.) રાષ્‍ટ્રીય સેવા યોજનાનો યુનિટ કાર્યરત છે. આ યોજનામાં ભાગ લેનાર દરેક સ્‍વયંસેવકો સેવા ભાવથી વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસની સેવામાં ભાગ લેતા હોય છે. 15 ઓગસ્‍ટ, 2024ના રોજ, દિપક સિંહ (T.Y.B.C.A.), એક સમર્પિત N.S.S. (રાષ્‍ટ્રીય સેવા યોજના) સ્‍વયંસેવક, નવી દિલ્‍હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પર આયોજિત રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍વતંત્રત દિનની ઉજવણીમાં ભાગ લેવા અતિથિ વિશેષ તરીકે માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રતિષ્ઠિત આમંત્રણ સ્‍વયંસેવકોના યોગદાન અને સમાજ સેવા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર દેખાવ દર્શાવે છે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને સ્‍વાતંત્ર્ય સંગ્રામના પ્રતિક એવા લાલ કિલ્લા પર સ્‍વતંત્ર દિનની ઉજવણી રાષ્‍ટ્રીય ગૌરવનું ભવ્‍ય પ્રદર્શન હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 24 સ્‍વયંસેવકો આમંત્રિત હતા જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફક્‍ત સદર કોલેજનાસ્‍વયંસેવકની પસંદગી થતા કોલેજ પરિવારમાં આનંદની અને ગૌરવની લાગણી અનુભવી હતી.
N.S.S. યુનિટની દરેક સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન તેમજ માર્ગદર્શન અને સ્‍વયંસેવકોની પસંદગી N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્‍બુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ લાલ કિલ્લા, નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ ટ્રસ્‍ટીગણે વિદ્યાર્થીનો અભાર માની ભવિષ્‍યમાં પણ દેશની સેવામાં ભાગીદાર બની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

Leave a Comment