April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે આજરોજ રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં રૂ.5 લાખના ખર્ચે સરીગામ મુક્‍તિધામ ખાતે આરસીસી નાળાનું બાંધકામ કરવામાં આવશે અને રૂપિયા દસ લાખના ખર્ચે ઈમરાનગર, ગોકુળ પાર્ક, શિવનગર, દક્ષિણી ફળિયા, બજાર વિસ્‍તાર તેમજ ડુંગળી ફળિયામાં પેવર બ્‍લોક બેસાડવામાં આવશે એવી માહિતી સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને અગ્રણી શ્રી રાકેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પંચાયતના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રી સંજયભાઈ ભાંગડા, અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, વિનોદભાઈ ઠાકુર, વિક્રાંતભાઈ આરેકર, બાપુ સર, પંચાયતના સભ્‍યો શ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રીમતી મંજુબેન બીજ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસ બિન્‍દ્રાબિન જવા શિવ જળાભિષેક સાથે ભવ્‍ય કાવડયાત્રા નિકળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment