June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે આજરોજ રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં રૂ.5 લાખના ખર્ચે સરીગામ મુક્‍તિધામ ખાતે આરસીસી નાળાનું બાંધકામ કરવામાં આવશે અને રૂપિયા દસ લાખના ખર્ચે ઈમરાનગર, ગોકુળ પાર્ક, શિવનગર, દક્ષિણી ફળિયા, બજાર વિસ્‍તાર તેમજ ડુંગળી ફળિયામાં પેવર બ્‍લોક બેસાડવામાં આવશે એવી માહિતી સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને અગ્રણી શ્રી રાકેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પંચાયતના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રી સંજયભાઈ ભાંગડા, અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, વિનોદભાઈ ઠાકુર, વિક્રાંતભાઈ આરેકર, બાપુ સર, પંચાયતના સભ્‍યો શ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રીમતી મંજુબેન બીજ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

Leave a Comment