October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે આજરોજ રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં રૂ.5 લાખના ખર્ચે સરીગામ મુક્‍તિધામ ખાતે આરસીસી નાળાનું બાંધકામ કરવામાં આવશે અને રૂપિયા દસ લાખના ખર્ચે ઈમરાનગર, ગોકુળ પાર્ક, શિવનગર, દક્ષિણી ફળિયા, બજાર વિસ્‍તાર તેમજ ડુંગળી ફળિયામાં પેવર બ્‍લોક બેસાડવામાં આવશે એવી માહિતી સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને અગ્રણી શ્રી રાકેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પંચાયતના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રી સંજયભાઈ ભાંગડા, અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, વિનોદભાઈ ઠાકુર, વિક્રાંતભાઈ આરેકર, બાપુ સર, પંચાયતના સભ્‍યો શ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રીમતી મંજુબેન બીજ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

Leave a Comment