February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

છેલ્લા 15 દિવસથી નાની ખાડીમાં આ રીતે કોઈ ઈસમો
દ્વારા મૃત મરઘાઓ ફેંકી જવામાં આવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડીના પાણીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના મલિક દ્વારા મૃત મરઘાઓ ફેંકવામાં આવી રહ્યા છે. રવિવારના રોજ આશરે 100-જેટલા મૃત મરઘાઓ નાની ખાડીમાં ફેંકી દેવાતા પાણીના પ્રવાહમાં મૃત મરઘા તણાતા જોવા મળ્‍યા હતા.
આ નાની ખાડી કાવેરી નદીને મળે છે. અને મૃત મરઘાઓના કારણે ગંદકી ફેલાતા પાણી દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાવા પામ્‍યો છે.અને આ રીતે મૃત મરઘાઓ ફેંકી જનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
વધુમાં દોણજા હાલે શેરડી કાપવા આવેલ 500-જેટલા શ્રમિકો વસવાટ કરે છે. અને તેઓ આ પાણીનો ઉપયોગ કરતા હોય રોગચાળો ફેલાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત સ્‍થાનિકો દ્વારા પણ ખેતીવાડીમાં પશુઓ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. નાની ખાડીનું પાણી મૃત મરઘાઓના કારણે દૂષિત થવાથી જળચર જીવસૃષ્ટિને પણ નુકશાન થઈ શકે તેમ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં આ રીતે જાહેરમાં નાની ખાડીના પાણીમાં મૃત મરઘાઓ નાંખી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજે સ્‍થળ પર લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
સ્‍થાનિક રહેવાસી આકાશભાઈના જણાવ્‍યાનુસાર દોણજા નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી પોલટ્રી ફાર્મના મૃત મરધાઓ કોઈક દ્વારા ફેંકી જવામાં આવી રહ્યા છે. આજે અંદાજે 100-જેટલા મૃત મરધાઓ ફેંકી જવાતા નદી પાણી દૂષિત થવા સાથે ગંદકી ફેલાવા પામી છે.

Related posts

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment