Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

છેલ્લા 15 દિવસથી નાની ખાડીમાં આ રીતે કોઈ ઈસમો
દ્વારા મૃત મરઘાઓ ફેંકી જવામાં આવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડીના પાણીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના મલિક દ્વારા મૃત મરઘાઓ ફેંકવામાં આવી રહ્યા છે. રવિવારના રોજ આશરે 100-જેટલા મૃત મરઘાઓ નાની ખાડીમાં ફેંકી દેવાતા પાણીના પ્રવાહમાં મૃત મરઘા તણાતા જોવા મળ્‍યા હતા.
આ નાની ખાડી કાવેરી નદીને મળે છે. અને મૃત મરઘાઓના કારણે ગંદકી ફેલાતા પાણી દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાવા પામ્‍યો છે.અને આ રીતે મૃત મરઘાઓ ફેંકી જનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
વધુમાં દોણજા હાલે શેરડી કાપવા આવેલ 500-જેટલા શ્રમિકો વસવાટ કરે છે. અને તેઓ આ પાણીનો ઉપયોગ કરતા હોય રોગચાળો ફેલાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત સ્‍થાનિકો દ્વારા પણ ખેતીવાડીમાં પશુઓ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. નાની ખાડીનું પાણી મૃત મરઘાઓના કારણે દૂષિત થવાથી જળચર જીવસૃષ્ટિને પણ નુકશાન થઈ શકે તેમ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં આ રીતે જાહેરમાં નાની ખાડીના પાણીમાં મૃત મરઘાઓ નાંખી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજે સ્‍થળ પર લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
સ્‍થાનિક રહેવાસી આકાશભાઈના જણાવ્‍યાનુસાર દોણજા નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી પોલટ્રી ફાર્મના મૃત મરધાઓ કોઈક દ્વારા ફેંકી જવામાં આવી રહ્યા છે. આજે અંદાજે 100-જેટલા મૃત મરધાઓ ફેંકી જવાતા નદી પાણી દૂષિત થવા સાથે ગંદકી ફેલાવા પામી છે.

Related posts

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment