October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

છેલ્લા 15 દિવસથી નાની ખાડીમાં આ રીતે કોઈ ઈસમો
દ્વારા મૃત મરઘાઓ ફેંકી જવામાં આવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડીના પાણીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના મલિક દ્વારા મૃત મરઘાઓ ફેંકવામાં આવી રહ્યા છે. રવિવારના રોજ આશરે 100-જેટલા મૃત મરઘાઓ નાની ખાડીમાં ફેંકી દેવાતા પાણીના પ્રવાહમાં મૃત મરઘા તણાતા જોવા મળ્‍યા હતા.
આ નાની ખાડી કાવેરી નદીને મળે છે. અને મૃત મરઘાઓના કારણે ગંદકી ફેલાતા પાણી દૂષિત થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાવા પામ્‍યો છે.અને આ રીતે મૃત મરઘાઓ ફેંકી જનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
વધુમાં દોણજા હાલે શેરડી કાપવા આવેલ 500-જેટલા શ્રમિકો વસવાટ કરે છે. અને તેઓ આ પાણીનો ઉપયોગ કરતા હોય રોગચાળો ફેલાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત સ્‍થાનિકો દ્વારા પણ ખેતીવાડીમાં પશુઓ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. નાની ખાડીનું પાણી મૃત મરઘાઓના કારણે દૂષિત થવાથી જળચર જીવસૃષ્ટિને પણ નુકશાન થઈ શકે તેમ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં આ રીતે જાહેરમાં નાની ખાડીના પાણીમાં મૃત મરઘાઓ નાંખી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજે સ્‍થળ પર લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
સ્‍થાનિક રહેવાસી આકાશભાઈના જણાવ્‍યાનુસાર દોણજા નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી પોલટ્રી ફાર્મના મૃત મરધાઓ કોઈક દ્વારા ફેંકી જવામાં આવી રહ્યા છે. આજે અંદાજે 100-જેટલા મૃત મરધાઓ ફેંકી જવાતા નદી પાણી દૂષિત થવા સાથે ગંદકી ફેલાવા પામી છે.

Related posts

કોવિડ-19ના રોકથામ હેતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

vartmanpravah

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment