October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

ઉદ્યોગો દ્વારા યોજાનારા ભરતી મેળામાં દાદરા નગર હવેલીના સ્‍થાનિક આદિવાસી શિક્ષિત યુવાનોને યોગ્‍ય પદ ઉપર તક મળે તેની તકેદારી રાખવા પણ કરેલી અરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04 : સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી નોકરીઓમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા અને ઉદ્યોગોમાં આદિવાસી બેરોજગારોને સંપૂર્ણ પ્રાથમિકતા આપવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રજૂઆત કરી છે.
સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે ગત તા.31મી ઓક્‍ટોબરના રોજ યોજાયેલ રોજગાર મેળાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, જેમાં 248 જેટલા સક્ષમ બેરોજગારોને શિક્ષક અને જુનિયર એન્‍જિનિયરના પદ ઉપર કાયમી નોકરીની ભરતીનો આદેશ આપવામાં આવ્‍યો હતો. સંઘપ્રદેશમાં 15 વર્ષ પછી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વમાં થયેલા આયોજનની પણ તેમણે પ્રશંસા કરી હતી.
રોજગાર મેળાના સમારંભમાંસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્યોગ ગૃહોને તમામ પંચાયતોમાં ભરતી મેળાના આયોજન માટે કરેલી તાકિદની પણ સરાહના કરતા શ્રી સુમનભાઈ પટેલે શિક્ષિત આદિવાસીઓને ઉદ્યોગોમાં યોગ્‍ય પદ ઉપર રોજગાર મળે તેની તકેદારી રાખવા પણ સૂચન કર્યું છે. તેમણે નોન ગેઝેટેડ બી ગૃપ સુધીની સરકારી નોકરીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ઉમેદવારોની જ પસંદગી થાય એવી વ્‍યવસ્‍થા કરવા પણ અરજ કરી છે.
સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે, દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ જ યોગ્‍ય નિર્ણય લઈ ન્‍યાય અપાવશે.

Related posts

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવની પહેલ હેઠળ વણાંકબારાની સરકારી હાયર સેકન્‍ડરી ગર્લ્‍સ સ્‍કૂલમાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલો સમર કેમ્‍પ કાર્યક્રમ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment