(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આગામી તા.22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યામાં શ્રી રામ લલ્લાની થઈ રહેલી પ્રાણપ્રતિષ્ઠાના ઉપલક્ષમાં તમામ હિંદુ ઘરો સુધી પૂજીત અક્ષત પહોંચાડવાનું ભગિરથ કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ શરૂ કર્યું છે. જેની કડીમાં આજે મોટી વાંકડ અંબામાતા મંદિરથી આર.એસ.એસ. દમણ તાલુકા કાર્યવાહક શ્રી યોગેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂજા-અર્ચના કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ગઈકાલે નાની દમણ શાકભાજી માર્કેટ શ્રી રામ મંદિરથી ભગવાન રામના ચરણોમાં પૂજીત અક્ષતને અર્પણ કરી વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ દમણના 24 ગામો અને 15 વોર્ડમાં પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી હતી. જેમાં જિલ્લા સમિતિના કાર્યકર્તા પ્રમુખ શ્રી સમીપ સુર્વે, રાજન કામલી, યોગેશ પટેલ, ધીરેન પાત્રો, પ્રકાશ સોની, સુભાષ પટેલ, પ્રેમાભાઈ ટંડેલ, શ્રી હરિશ ઘુમરે, શ્રી વિપુલ પટેલ વગેરેએ ખાસ ઉપસ્થિત રહીનિયમન કર્યું હતું.