Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આગામી તા.22મી જાન્‍યુઆરીના રોજ શ્રી રામ જન્‍મ ભૂમિ અયોધ્‍યામાં શ્રી રામ લલ્લાની થઈ રહેલી પ્રાણપ્રતિષ્‍ઠાના ઉપલક્ષમાં તમામ હિંદુ ઘરો સુધી પૂજીત અક્ષત પહોંચાડવાનું ભગિરથ કાર્ય રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ શરૂ કર્યું છે. જેની કડીમાં આજે મોટી વાંકડ અંબામાતા મંદિરથી આર.એસ.એસ. દમણ તાલુકા કાર્યવાહક શ્રી યોગેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂજા-અર્ચના કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ગઈકાલે નાની દમણ શાકભાજી માર્કેટ શ્રી રામ મંદિરથી ભગવાન રામના ચરણોમાં પૂજીત અક્ષતને અર્પણ કરી વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ દમણના 24 ગામો અને 15 વોર્ડમાં પહોંચાડવાની વ્‍યવસ્‍થા શરૂ કરી હતી. જેમાં જિલ્લા સમિતિના કાર્યકર્તા પ્રમુખ શ્રી સમીપ સુર્વે, રાજન કામલી, યોગેશ પટેલ, ધીરેન પાત્રો, પ્રકાશ સોની, સુભાષ પટેલ, પ્રેમાભાઈ ટંડેલ, શ્રી હરિશ ઘુમરે, શ્રી વિપુલ પટેલ વગેરેએ ખાસ ઉપસ્‍થિત રહીનિયમન કર્યું હતું.

Related posts

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દમણમાં યુથ પાર્લામેન્ટના આયોજક જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રી પટેલે પોતાના સાથીઓ સાથે આભાર પ્રસ્તાવની કરેલી સોંપણી

vartmanpravah

Leave a Comment