Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણ

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

વાત્‍સલ્‍ય શૈશવ શાળાના સંચાલક અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06: ગત શનિવારે સાંજે 7 વાગ્‍યે વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં સંચાલક શ્રી અપૂર્વ પાઠક તથા દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર આગેવાન શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ સ્‍થિત હંસા હોસ્‍પિટલના સંચાલક અને પ્રખ્‍યાત ડોક્‍ટર પંકજભાઈ દેસાઈના માર્ગદર્શનમાં મધુપ્રમેહ(ડાયાબીટીસ) રોગ બાબતે જાગરૂકતા અભિયાનના ઉદ્દેશ્‍યથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.5મીના શનિવારે સાંજે 7 વાગ્‍યાના સમયે નાની દમણના દાભેલ ખાતે આવેલ હંસા હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં શાળાના સંચાલક શ્રી અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અગ્રણી શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી મધુપ્રમેહ (ડાયાબીટીસ) રોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિર મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ આવ્‍યાહતા. જેમનું સુગરની માત્રા ચકાસવામાં આવી હતી. જેના માધ્‍યમથી લોકોમાં ડાયાબીટીસ રોગથી બચવાના ઉપાય અને તેના પ્રભાવથી છૂટકારો મેળવવા માટે ડો. પંકજભાઈ દેસાઈએ ખુબ જ ઊંડાણથી અને સરળતાથી પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે લાભાર્થી દર્દીઓ દ્વારા ડો. પંકજભાઈ દેસાઈને પૂછવામાં આવેલ પ્રશ્નો અને તેમની સમસ્‍યા ઉપર તેમના દ્વારા ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. જે તમામ માટે ભવિષ્‍યમાં ફાયદાકારક રહેશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી અપૂર્વ પાઠક, શ્રી જયંતિભાઈ પટેલ, ડો. પંકજભાઈ દેસાઈ, ડો. મીનાબેન દેસાઈ સહિત તેમનો પરિવાર અને તમામ સહાયક સ્‍ટાફનો ખુબ સહયોગ રહ્યો હતો.

Related posts

સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવની પહેલ હેઠળ વણાંકબારાની સરકારી હાયર સેકન્‍ડરી ગર્લ્‍સ સ્‍કૂલમાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલો સમર કેમ્‍પ કાર્યક્રમ

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

Leave a Comment