April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

યોગ્‍ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને આપેલી સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર, નગરપાલિકા મુખ્‍ય ઈજનેર સાથે બાલદેવી સ્‍થિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલ મકાનો મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓફિસરડો. સુનભ સિંહે કોન્‍ટ્રાક્‍ટર અને પાલિકાના અધિકારીઓને સમયમર્યાદામાં મકાનોને યોગ્‍ય ગુણવતા સાથે કામ પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા પીએમએવાય-અર્બન અંતર્ગત 1232 મકાન/આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે અને દરેક મકાનોનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગરમાં કરવામાં આવી રહ્યા છે. આ બન્ને જગ્‍યા પર મકાનોનું નિર્માણ અંતિમ ચરણમાં છે. સાથે શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસી અંતર્ગત સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. જેઓ કાચા ઘરોમાં રહે છે તેઓ પોતાની જગ્‍યા પર પાકું મકાન નિર્માણ કરી શકે છે અને તેઓ દરેક મૌસમમાં સુવિધાજનક ઘરમાં રહી શકશે.

Related posts

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણમાં વિકાસકાર્યોની કરેલી સમીક્ષા

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment