April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

યોગ્‍ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને આપેલી સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર, નગરપાલિકા મુખ્‍ય ઈજનેર સાથે બાલદેવી સ્‍થિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલ મકાનો મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓફિસરડો. સુનભ સિંહે કોન્‍ટ્રાક્‍ટર અને પાલિકાના અધિકારીઓને સમયમર્યાદામાં મકાનોને યોગ્‍ય ગુણવતા સાથે કામ પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા પીએમએવાય-અર્બન અંતર્ગત 1232 મકાન/આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે અને દરેક મકાનોનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગરમાં કરવામાં આવી રહ્યા છે. આ બન્ને જગ્‍યા પર મકાનોનું નિર્માણ અંતિમ ચરણમાં છે. સાથે શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસી અંતર્ગત સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. જેઓ કાચા ઘરોમાં રહે છે તેઓ પોતાની જગ્‍યા પર પાકું મકાન નિર્માણ કરી શકે છે અને તેઓ દરેક મૌસમમાં સુવિધાજનક ઘરમાં રહી શકશે.

Related posts

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah

Leave a Comment