March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

યોગ્‍ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને આપેલી સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર, નગરપાલિકા મુખ્‍ય ઈજનેર સાથે બાલદેવી સ્‍થિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલ મકાનો મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓફિસરડો. સુનભ સિંહે કોન્‍ટ્રાક્‍ટર અને પાલિકાના અધિકારીઓને સમયમર્યાદામાં મકાનોને યોગ્‍ય ગુણવતા સાથે કામ પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા.
સેલવાસ નગરપાલિકા દ્વારા પીએમએવાય-અર્બન અંતર્ગત 1232 મકાન/આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે અને દરેક મકાનોનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગરમાં કરવામાં આવી રહ્યા છે. આ બન્ને જગ્‍યા પર મકાનોનું નિર્માણ અંતિમ ચરણમાં છે. સાથે શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસી અંતર્ગત સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. જેઓ કાચા ઘરોમાં રહે છે તેઓ પોતાની જગ્‍યા પર પાકું મકાન નિર્માણ કરી શકે છે અને તેઓ દરેક મૌસમમાં સુવિધાજનક ઘરમાં રહી શકશે.

Related posts

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment