March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ અને જિલ્લા અને તાલીમ સંસ્‍થા, દ્વારા નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત 10 દિવસીય ઈન્‍ડક્‍શન તાલીમ કાર્યક્રમ ગત 17 જાન્‍યુઆરીના રોજ તાલીમ કેન્‍દ્ર ડોકમરડી સેલવાસ, ખાતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 45 પ્રાથમિક શિક્ષકોને તેમની સરકારી ફરજો અને શૈક્ષણિક જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્‍યા જ્ઞાન મિશન હેઠળ ‘રમતા રામતા શોધો’ કાર્યક્રમ પરની તાલીમમાં, શિક્ષકોને વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ અને તકનીકોની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેમાં શિક્ષણને આનંદપ્રદ અને વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ બનાવવા માટે શિક્ષણ પદ્ધતિઓ પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ કેન્‍દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલ, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લા અને શિક્ષણ અધિકારી (ડી.એન.) શ્રી જયેશ ભંડારીની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી રા. મોહિલે અને ડો. સતિષ પટેલે શિક્ષકોની પસંદગીને આવકારી શિક્ષણ વિભાગમાં આવવા બદલ અભિનંદનપાઠવ્‍યા હતા, ઉમેદવારોને તાલીમ પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા, દમણના આચાર્ય શ્રી આઈ.વી. પટેલે શિક્ષકો સાથે તેમના વ્‍યાવસાયિક અને શૈક્ષણિક અનુભવો આપ-લે કર્યા હતા. સાથે સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સ્‍પર્ધકોને અભિનંદન પાઠવ્‍યા હતા. તાલીમ કાર્યક્રમનું સંચાલન ડાયેટ દમણના વ્‍યાખ્‍યાતા અને બીઆરપી, સીઆરસી નગર હવેલી ટીમના સહયોગથી યોજાયો હતો.

Related posts

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

Leave a Comment