December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

કાર્યક્રમ દ્વારા એકત્ર થનારા ફંડનો ઉપયોગ ગરીબોના આરોગ્‍ય સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ‘લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા’ અને ‘લિયો ક્‍લબ ઓફ સિલવાસા’ દ્વારા ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે 16 ડિસેમ્‍બરના શનિવારે શ્રી સંદિપ પંચવટકર દ્વારા પ્રસ્‍તુત મસ્‍ત મસ્‍ત મ્‍યુઝિકલ તંબોલા સંગીતમયકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે લાયન્‍સ કલબ ઓફ સિલવાસાના અધ્‍યક્ષ લા. વિનોદ અમેરિયા, લા. અતુલભાઈ શાહની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ દરમિાયન લાયન્‍સ ક્‍લબના અન્‍ય સભ્‍યો પણ હાજર રહ્યા હતા.
મળેલી બેઠકમાં નક્કી કરાયું હતું કે 16 ડિસેમ્‍બર, 2023ના શનિવારે સાંજે 7:00 વાગ્‍યે સેલવાસના ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે શ્રી સંદિપ પંચવટકર દ્વારા પ્રસ્‍તુત મસ્‍ત મસ્‍ત મ્‍યુઝિકલ તંબોલા સંગીતમય કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરવામાં આવશે.
મ્‍યુઝિકલ તંબોલા એક હાઉઝી ગેમ શો છે. જેના માટેની ટિકિટો પણ રાહતદરે રાખવામાં આવી છે એની સાથે ડિસ્‍કાઉન્‍ટ કુપન પણ આપવામાં આવશે અને જે લોકો ભાગ લેશે તેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે.
લાયન્‍સ ક્‍લબના અધ્‍યક્ષ લા. વિનોદ અમેરિયાએ જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમના માધ્‍યમથી જે પણ ફંડ એકત્ર થશે એનો ઉપયોગ ગરીબ અને વંચિત લોકોની સેવા માટે ઉપયોગ કરાશે. આરોગ્‍ય શિબિર, કેન્‍સર અને ડાયાબિટિશ(મધુમેહ)ની તપાસ તથા જાગૃતિ કાર્યક્રમ જેવી આરોગ્‍યને લગતી વિવિધ સેવાઓ જરૂરિયાતમંદ ગરીબ આદિવાસીઓને પુરી પાડવામાં આવશે. લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા પ્રદેશની જનતાને અનુરોધ છે કે આસેવાભાવી કાર્યમાં ભાગ લે અને એને સફળ બનાવે. કાર્યક્રમની ટિકિટ માટે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસાના કોઈપણ સભ્‍યોનો સંપર્ક કરી શકાશે. આ અવસરે લાયન્‍સ કલબ ઓફ સિલવાસાના સભ્‍ય તથા ઉદ્યોગપતિ શ્રી અતુલભાઈ શાહ, લા. પીન્‍કી ખેમાણી, લા. નિલમ ઝવેરી, લા. આશિષ દેસાઈ, લા. ભરત તન્ના સહિતના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

Leave a Comment