March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

સેલવાસથી મહારાષ્‍ટ્રના જવ્‍હાર તરફ અને જવ્‍હારથી સેલવાસ તરફ જઈ રહેલ એસ.ટી. બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં એક બસના ચાલકની હાલત ગંભીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીના સેલવાસથી નાશિક તરફ જઈ રહેલ એસ.ટી. બસ અને મહારાષ્‍ટ્રના જલગાંવથી સેલવાસ તરફ આવી રહેલ એક મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની પાલઘર જિલ્લાના જવ્‍હાર નજીક આવેલ જય સાગર ડેમ પાસે વળાંકમાં બે બસ સામસામે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતના પગલે બંને બસમાંના 25થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને પ્રથમ જવ્‍હારની કુટિર હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા. જ્‍યારે વધુ ગંભીર ઈજા પામનાર ત્રણ જેટલા વ્‍યક્‍તિઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્‍માતમાં એક બસના ચાલકનસ હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.
અત્રે યાદ રહે કે, મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનના બસના મોટાભાગના ચાલકો પુરપાટ ઝડપે બસ હંકારતા હોવાનું નજરે પડે છે. જેથી સરકાર દ્વારા આ બસની સ્‍પીડ પણ અમુક હદ સુધી મર્યાદિત રાખવામાં આવે જરૂરી છે.

Related posts

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment