Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

સેલવાસથી મહારાષ્‍ટ્રના જવ્‍હાર તરફ અને જવ્‍હારથી સેલવાસ તરફ જઈ રહેલ એસ.ટી. બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં એક બસના ચાલકની હાલત ગંભીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીના સેલવાસથી નાશિક તરફ જઈ રહેલ એસ.ટી. બસ અને મહારાષ્‍ટ્રના જલગાંવથી સેલવાસ તરફ આવી રહેલ એક મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની પાલઘર જિલ્લાના જવ્‍હાર નજીક આવેલ જય સાગર ડેમ પાસે વળાંકમાં બે બસ સામસામે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતના પગલે બંને બસમાંના 25થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને પ્રથમ જવ્‍હારની કુટિર હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા. જ્‍યારે વધુ ગંભીર ઈજા પામનાર ત્રણ જેટલા વ્‍યક્‍તિઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્‍માતમાં એક બસના ચાલકનસ હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.
અત્રે યાદ રહે કે, મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનના બસના મોટાભાગના ચાલકો પુરપાટ ઝડપે બસ હંકારતા હોવાનું નજરે પડે છે. જેથી સરકાર દ્વારા આ બસની સ્‍પીડ પણ અમુક હદ સુધી મર્યાદિત રાખવામાં આવે જરૂરી છે.

Related posts

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

vartmanpravah

Leave a Comment