July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્‍ટો અને પ્રસ્‍તાવોને પ્રશાસકશ્રીની દિલ્‍હી મુલાકાત દરમિયાન મળનારી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન કેન્‍દ્રના ટેક્‍સટાઈલ, વાણિજ્‍ય અને ઉદ્યોગ તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલની મુલાકાત કરી હતી. કેન્‍દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના કેટલાક પડતર પ્રશ્નો બાબતે પણ ઊંડાણથી ચર્ચા-વિચારણાં કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાતમાં બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના મુદ્દે ફળદાયી ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હાલમાં દિલ્‍હીની મુલાકાતે છે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મંત્રાલયોમાં પડતર પ્રોજેક્‍ટો અને પ્રસ્‍તાવોના કાર્યાન્‍વયનની બાબતમાં ગતિઆવવાની સંભાવના જોવાઈ રહી છે.

Related posts

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

Leave a Comment