April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

દાદરા સ્‍થિત ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લિફટ તૂટી પડતાં કામદારને ગંભીર ઇજાઃ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લોડિંગ-અનલોડીંગ વાળી લિફટ તૂટી જતાં જેમાં કામ કરતા એક કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ખાતે આવેલી ઓલ પેક પેકેજીંગ કંપનીમાં નિરોન નિંગ નામનો કામદાર ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યો છે, જે સામાન લાવવા લઈ જવા માટે લગાવવામાં આવેલ લિફટમાં લોડીંગ-અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક લિફટ તૂટી પડતાં નિરોન જમીન પર પટકાયો હતો. જેના કારણે એના પગમાં અને કમ્‍મરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્‍કાલિક સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. બે-ત્રણ દિવસ આ વ્‍યક્‍તિને આઇસીયુવોર્ડમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા પોલીસ એમ.એલ.સી.ના આધારે કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દાનહની કેટલીક કંપનીઓમાં વારંવાર લાપરવાહીથી અકસ્‍માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવતી નથી અને કંપની સંચાલક પણ એને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે. હાલમાં નિરોન નીંગના પરિવારના કોઈપણ નથી અને એની સાર-સંભાળ રાખનારા પણ કોઈ જ નથી. નિરોન કંપનીમાં ઘણાં લાંબા સમયથી કામ કરે છે પરંતુ હજી સુધી આઈકાર્ડ પણ ઈશ્‍યુ કરવામાં આવેલ નથી. કંપનીમાં ફાયર જેવી ઘટના બને તો ફાયર વિભાગની ગાડીને લઈ જવાનો રસ્‍તો પણ નથી. આ કંપની કાગળના ફુટરોલમાંથી બોક્‍સ બનાવે છે અને કંપનીના ઉપર વર્કરોને રહેવા માટે બનાવવામાં આવેલ રૂમની પરવાનગી કોણે આપી? એ પણ એક સવાલ છે. આ કંપની સંપૂર્ણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

Related posts

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

Leave a Comment