Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

દાદરા સ્‍થિત ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લિફટ તૂટી પડતાં કામદારને ગંભીર ઇજાઃ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ ઓલ પેક પેકેજીંગ કંપનીમાં લોડિંગ-અનલોડીંગ વાળી લિફટ તૂટી જતાં જેમાં કામ કરતા એક કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ખાતે આવેલી ઓલ પેક પેકેજીંગ કંપનીમાં નિરોન નિંગ નામનો કામદાર ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યો છે, જે સામાન લાવવા લઈ જવા માટે લગાવવામાં આવેલ લિફટમાં લોડીંગ-અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક લિફટ તૂટી પડતાં નિરોન જમીન પર પટકાયો હતો. જેના કારણે એના પગમાં અને કમ્‍મરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્‍કાલિક સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. બે-ત્રણ દિવસ આ વ્‍યક્‍તિને આઇસીયુવોર્ડમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા પોલીસ એમ.એલ.સી.ના આધારે કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દાનહની કેટલીક કંપનીઓમાં વારંવાર લાપરવાહીથી અકસ્‍માતની ઘટનાઓ બની રહી છે, પરંતુ કેટલીક ઘટનાઓ સામે આવતી નથી અને કંપની સંચાલક પણ એને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે. હાલમાં નિરોન નીંગના પરિવારના કોઈપણ નથી અને એની સાર-સંભાળ રાખનારા પણ કોઈ જ નથી. નિરોન કંપનીમાં ઘણાં લાંબા સમયથી કામ કરે છે પરંતુ હજી સુધી આઈકાર્ડ પણ ઈશ્‍યુ કરવામાં આવેલ નથી. કંપનીમાં ફાયર જેવી ઘટના બને તો ફાયર વિભાગની ગાડીને લઈ જવાનો રસ્‍તો પણ નથી. આ કંપની કાગળના ફુટરોલમાંથી બોક્‍સ બનાવે છે અને કંપનીના ઉપર વર્કરોને રહેવા માટે બનાવવામાં આવેલ રૂમની પરવાનગી કોણે આપી? એ પણ એક સવાલ છે. આ કંપની સંપૂર્ણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

Related posts

વલસાડના ટંડેલ પરિવાર માટે સરકારની મહત્‍વાકાંક્ષી 3 યોજના વરદાનરૂપ સાબિત થઈ: કોરોનાકાળથીઅત્‍યાર સુધી સરકારી અનાજ જ જીવન જીવવાનો આધાર બન્‍યોઃ લાભાર્થી નરેશભાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ગુરૂમંત્રઃ કામ એજ ભક્‍તિ લક્ષદ્વીપથી પરત ફર્યા બાદ શરૂ કરેલું દમણના વિકાસકામોનું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment