Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

પોલીસે કારમાં રાખેલ એન્‍જિન સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્‍ટોબરે એક ખેડૂતના ખેતરમાંથી પાણી એન્‍જિનની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસમાં એન્‍જિન ચોરી જનારા ત્રણ યુવકોને એન્‍જિન સાથે આજે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્‍ટોબરે ગામમાં રહેતા ચંદુભાઈ ધનજીભાઈ ખોરાટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરાઈ ગયું છે. પોલીસે ગુનો નોંધી આગલની તપાસ હાથ ધરી હતી. તપાસમાં આજે વાંસદા સતિમાળ ગામના લાલુ બીપીન પટેલ, પરિમલ રાયસીંગ ગાંવિત અને રાહુલ રાયસીંગ ગાંવિત નામના ત્રણ યુવકો કારમાં એન્‍જિન લઈને જઈ રહ્યા હતા ત્‍યારે ત્રણેય યુવકોની અટક કરી મુદ્દામાલમાં એન્‍જિન કબજે લઈ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
——

Related posts

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment