Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી 19મી નવેમ્‍બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓ તા. 19મી નવેમ્‍બરના રોજ દમણ એરપોર્ટથી બાય રોડ વાપીમાં રોડ શો કરી વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે દ્વારા તા. 19-11-2022ના રોજ બપોરે 2-00 વાગ્‍યાથી રાત્રિના 11-00 વાગ્‍યા સુધી (1) ધરમપુર ચોકડીથી ધરમપુર જતા વાહનોને ગુંદલાવ ચોકડી થઈ કલવાડા ચાર રસ્‍તા ખેરગામ રોડ થઈ ધરમપુર તરફ ડાયવર્ઝન કરવા તેમજ (2) ધરમપુરથી વલસાડ તરફ આવતા વાહનોને ધરમપુર – ખેરગામ રોડ થઈ કલવાડા ચાર રસ્‍તાથી ગુંદલાવ રોડ તરફ ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

Related posts

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

‘દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસ’ની જિલ્લા સ્‍તરીય ઉજવણી પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારની દરેક યોજનાઓ પુરી પારદર્શકતા સાથે કાર્યાન્‍વિતઃ કલેક્‍ટર ડૉ. સૌરભ મિશ્રા

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

Leave a Comment