March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી 19મી નવેમ્‍બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓ તા. 19મી નવેમ્‍બરના રોજ દમણ એરપોર્ટથી બાય રોડ વાપીમાં રોડ શો કરી વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે દ્વારા તા. 19-11-2022ના રોજ બપોરે 2-00 વાગ્‍યાથી રાત્રિના 11-00 વાગ્‍યા સુધી (1) ધરમપુર ચોકડીથી ધરમપુર જતા વાહનોને ગુંદલાવ ચોકડી થઈ કલવાડા ચાર રસ્‍તા ખેરગામ રોડ થઈ ધરમપુર તરફ ડાયવર્ઝન કરવા તેમજ (2) ધરમપુરથી વલસાડ તરફ આવતા વાહનોને ધરમપુર – ખેરગામ રોડ થઈ કલવાડા ચાર રસ્‍તાથી ગુંદલાવ રોડ તરફ ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

Related posts

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

Leave a Comment