April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી 19મી નવેમ્‍બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓ તા. 19મી નવેમ્‍બરના રોજ દમણ એરપોર્ટથી બાય રોડ વાપીમાં રોડ શો કરી વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે દ્વારા તા. 19-11-2022ના રોજ બપોરે 2-00 વાગ્‍યાથી રાત્રિના 11-00 વાગ્‍યા સુધી (1) ધરમપુર ચોકડીથી ધરમપુર જતા વાહનોને ગુંદલાવ ચોકડી થઈ કલવાડા ચાર રસ્‍તા ખેરગામ રોડ થઈ ધરમપુર તરફ ડાયવર્ઝન કરવા તેમજ (2) ધરમપુરથી વલસાડ તરફ આવતા વાહનોને ધરમપુર – ખેરગામ રોડ થઈ કલવાડા ચાર રસ્‍તાથી ગુંદલાવ રોડ તરફ ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment