(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા સહિત વિવિધ વિસ્તારમાં સ્થાપવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનું આજે સાતમાં દિવસેગણેશભક્તથો દ્વારા દમણગંગા નદી કિનારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં દાનહ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર ઠંડું પાણી અને શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમ્યાન કોઈને અગવડ નહીં પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ સાથે આરોગ્ય વિભાગની ટીમ અને ફાયર ફાઈટર વિભાગની ટીમના જવાનોએ ખડે પગે હાજર રહી સેવા બજાવી હતી.