July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

તાલુકા પંચાયતનો લેટર બતાવી સરપંચોને સાથે રાખી કરતો હતો ચિટિંગ

પશુપાલક ખેડૂતોને 6,000 ની સબસીડી, ઘાસ કાપવાનુ મશીન, તથા અન્‍ય કીટ આપવાની આપી હતી લાલચ

અલગ અલગ ગામના ખેડૂત પશુપાલકો પાસેથી 3700, 7200 અને
12500 જેવી રકમ ઉઘરાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના વિવિધ 11 જેટલા ગામોમાં તાલુકાપંચાયતનો લેટર સરપંચોને બતાવી સરપંચોને સાથે રાખી પશુપાલક ખેડૂતો પાસે શ્રી શ્‍યામ સેવા સમિતિમાંથી આવતો હોવાનું કહી પોતાનું નામ રાજ હોવાનું ખોટું નામ જણાવી (સાચું નામ કૈલાશ શર્મા) ઉજ્‍વલા નામનું કુદરતી ઘાસ ગાયને ખવડાવવાથી ગાયના દૂધ અને તેના ઉત્‍પાદનમાં સારો ફરક પડતો હોવાનું જણાવી આવું ઘાસ અમારી સમિતિ લગાવી આપશે અને એક મહિના સુધી દેખરેખ પણ રાખશે હોવાનું જણાવી આ ઘાસ માટે પશુપાલક ખેડૂતો પાસેથી અલગ અલગ ગામમાંથી 3700, 7200 અને 12,500 જેવી રકમ ઉઘરાવી હતી.
સાથે સાથે દરેક પશુપાલક ખેડૂતોને એક કીટ તથા ઘાસ કાપવાનુ કટર મશીન અને સરકાર તરફથી 6000 રૂપિયાની સબસીડી પણ મળશે હોવાની લાલચ આપી આશરે 8 થી 10 લાખ રૂપિયા ઉઘરાવી પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી પલાયન થઈ ગયો હતો.
આજે તારીખ 20-12-2023 અને બુધવારના રોજ આ જ ઈસમ કપરાડા તાલુકામાં ફરી ત્‍યાંના પશુપાલક ખેડૂતોને છેતરી રહ્યો હોવાની જાણ થતા પારડી તાલુકાના સરપંચો તથા અન્‍ય પશુપાલકો કપરાડા પહોંચી ત્‍યાંના ખેડૂતો અને પશુપાલકોનો સાથ સહકાર મેળવી રાજ ઉર્ફે કૈલાસ શર્માને પકડી પારડી પોલીસને હવાલે કર્યો હતો.

Related posts

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

Leave a Comment