January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

તાલુકા પંચાયતનો લેટર બતાવી સરપંચોને સાથે રાખી કરતો હતો ચિટિંગ

પશુપાલક ખેડૂતોને 6,000 ની સબસીડી, ઘાસ કાપવાનુ મશીન, તથા અન્‍ય કીટ આપવાની આપી હતી લાલચ

અલગ અલગ ગામના ખેડૂત પશુપાલકો પાસેથી 3700, 7200 અને
12500 જેવી રકમ ઉઘરાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના વિવિધ 11 જેટલા ગામોમાં તાલુકાપંચાયતનો લેટર સરપંચોને બતાવી સરપંચોને સાથે રાખી પશુપાલક ખેડૂતો પાસે શ્રી શ્‍યામ સેવા સમિતિમાંથી આવતો હોવાનું કહી પોતાનું નામ રાજ હોવાનું ખોટું નામ જણાવી (સાચું નામ કૈલાશ શર્મા) ઉજ્‍વલા નામનું કુદરતી ઘાસ ગાયને ખવડાવવાથી ગાયના દૂધ અને તેના ઉત્‍પાદનમાં સારો ફરક પડતો હોવાનું જણાવી આવું ઘાસ અમારી સમિતિ લગાવી આપશે અને એક મહિના સુધી દેખરેખ પણ રાખશે હોવાનું જણાવી આ ઘાસ માટે પશુપાલક ખેડૂતો પાસેથી અલગ અલગ ગામમાંથી 3700, 7200 અને 12,500 જેવી રકમ ઉઘરાવી હતી.
સાથે સાથે દરેક પશુપાલક ખેડૂતોને એક કીટ તથા ઘાસ કાપવાનુ કટર મશીન અને સરકાર તરફથી 6000 રૂપિયાની સબસીડી પણ મળશે હોવાની લાલચ આપી આશરે 8 થી 10 લાખ રૂપિયા ઉઘરાવી પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી પલાયન થઈ ગયો હતો.
આજે તારીખ 20-12-2023 અને બુધવારના રોજ આ જ ઈસમ કપરાડા તાલુકામાં ફરી ત્‍યાંના પશુપાલક ખેડૂતોને છેતરી રહ્યો હોવાની જાણ થતા પારડી તાલુકાના સરપંચો તથા અન્‍ય પશુપાલકો કપરાડા પહોંચી ત્‍યાંના ખેડૂતો અને પશુપાલકોનો સાથ સહકાર મેળવી રાજ ઉર્ફે કૈલાસ શર્માને પકડી પારડી પોલીસને હવાલે કર્યો હતો.

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત પ્રભાબેન શાહ સાથે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર અસ્‍પી દમણિયાએ જિલ્લા ટીમ અને કાઉન્‍સિલર સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

Leave a Comment