(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા. ૧૮ નવેમ્બર
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લાની તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૯મી નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી વહીવટી કરણોસર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ખાતે તા.૧૯મી નવેમ્બરના રોજ કચેરી સમય દરમિયાન મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા ઈંચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.