July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

છઠ્ઠ માતાની પૂજા સાથે સાથે આયુષ્‍માન કાર્ડ અને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.28: વાપીમાં વસતા ઉત્તર ભારતીયો માટે ખાસ ધાર્મિક પર્વ હોય તો તે છઠ્ઠ પૂજા છે. વર્ષમાં બે વાર છઠ્ઠ પૂજા પર્વની ઉજવણી કરવામાં આવે છે. કારતક છઠ્ઠ અને ચૈત્રી નવરાત્ર છઠ્ઠ પૂજા કરવાનો મહિમા હોવાથી બિરાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદીના કિનારે સોમવારે સાંજે દ્વિતિય છઠ્ઠ પૂજાની આસ્‍થા સાથે ધામધૂમથી કરવામાં આવી હતી.
બિહાર વેલ્‍ફેર એસોસિએશન પ્રમુખ વિપુલસિંહ, કે.પી. વિદ્યાલયના ઉમેશ તિવારી અને એસોસિએશનના સભ્‍યો- હોદ્દેદારોએ સારી એવી જહેમત સાતે છઠ્ઠ પૂજાનું આયોજન કર્યું હતું. છઠ્ઠ પૂજા એસોસિએશન પાછલા 20 વર્ષથી આયોજન કરે છે. ચાર દિવસીય ચાલતી છઠ્ઠ માતાની પૂજા-અર્ચના અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચઢાવવાની તથા ઉપવાસ સાથે ઉગતા અને આથમતા સૂર્યદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા દમણગંગા કિનારો સાફ સફાઈ કરી આયોજન કરાયું હતું. હજારો બિહાર વાસીઓ છઠ્ઠ પૂજા કરવા માટે દમણગંગા કિનારે ઉમટી પડયા હતા. કોઈ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો. આ વર્ષે સામાજીક સેવા હેતુસર આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ કાઢવાની પણ એસોસિએશન આવકાર્ય સેવાનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વીઆઈઍના પ્રમુખ કમલેશભાઈ પટેલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજી, કેપી વિદ્યાલયના સ્થાપક ઉમેશ તિવારી, બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના અધ્યક્ષ ડૉ.કે.પી.સિન્હા, ઉપપ્રમુખ ઍન.કે.સિંઘ, મહિલા મોરચાના પ્રમુખ સુનીતા તિવારી, સેક્રેટરી પ્રમોદ સિંહ, સહ-સચિવ શિવકાંત ઝા, ખજાનચી અભય સિંહ, કન્વીનર મનીષ ઝા અને સહ-સંયોજક લક્ષ્મી ઝા સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર હતા.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

કીકરલા નાની કોળીવાડથી ચોરાયેલો છોટા હાથી ટેમ્‍પો પારડી પોલીસ છોટા ઉદેપુરથી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી

vartmanpravah

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment