October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

રસોયાની ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાની કૃત્‍યબાદ દાદાગીરી : શાળાને તાળા મારી દઈશું, મારા પરિવારે જમીન દાન આપી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં આજે 21મી સદીમાં પણ અંધશ્રધ્‍ધા ઘર કરી ગઈ હોય તેવા બનાવો બનતા રહ્યા છે તેવો વધુ એક બનાવ ધરમપુરના નડગધરી ગામે પ્રાથમિક શાળા નજીક માનતા પુરી કરવા હેતુ સાદડપાડા સ્‍કૂલના રસોયા દ્વારા શાળામાં બે ભગત બોલાવી 25 નારિયેળ, 12 મરઘા અને બકરાની બલી ચઢાવી વિધિ કર્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
ધરમપુર નડગધરી ગામની સાદડપાડા સ્‍કૂલના એસ.એમ.સી. કમિટિના સભ્‍યોએ ઘટનાનો વિરોધ કરવા તેમજ આ કૃત્‍ય કરનારાઓ વિરૂધ્‍ધમાં ધરમપુર પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. કમિટિ સભ્‍યો જગદીશભાઈ ચૌધરી, દિનેશભાઈ ભોયા, છગનભાઈ ગાયકવાડે કરેલ પોલીસમાં લેખિત ફરિયાદ મુજબ રસોયા ગંજુભાઈ ધાકલભાઈ ભોયા અને તેમના કાકડભાઈની સહિયારી જમીન જે તે સમયે શાળા માટે દાનમાં આપી હતી. ગંજુભાઈ હાલમાં રસોયાની ફરજ બજાવે છે. તેમણે બે ભગત બોલાવી 12 મરઘા, 25 શ્રીફળ અને એક બકરાની બલી વિધિ કરી હતી. તેથી લોકોમાં ઉકેલી ચર્ચા બાદ લોકોને ડરાવી-ધમકાવી શાળાને તાળા મારી દઈશ સુધી ધમકી આપી હતી. શાળામાં 264 વિદ્યાર્થી ભણે છે. હોસ્‍ટેલમાં 25વિદ્યાર્થિની અને 50 વિદ્યાર્થી રહે છે. તેમના કુમળા માનસ ઉપર આવી ઘટના પ્રભાવ પાડી શકે છે. આ વિધિ શાળાથી 300 મીટર દૂર કરવામાં આવી છે. જ્‍યાં હાલ કંકુ, સિંદુર, નારિયેળ, મરઘાના પીછા જોવા મળી રહ્યા છે. આ અંગે પોલીસ અને પ્રાંતમાં લેખિત અરજી બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી.

Related posts

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર-ઝોનલ કરાટેમાં ગોલ્‍ડ મેડલ મેળવી ઓલ ઈન્‍ડિયા યુનિવર્સિટી કરાટે ચેમ્‍પિયનશિપ માટે પસંદગી થઈ

vartmanpravah

‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં સહભાગી થવા દક્ષિણ ગુજરાતની અંદાજિત ૩ લાખથી વધુની જનમેદની ઉમટી પડશે

vartmanpravah

Leave a Comment