Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

રાજ્‍યમાં 15 હજાર ઉપરાંત ઈન્‍ડસ્‍ટ્રીઝ રજા આપશે : વી.આઈ.એ.એ ફેક્‍ટરીઓને ઈમેઈલ કરી જાણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આગામી તા.01 ડિસેમ્‍બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્‍યચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન યોજાનાર છે. પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતને અને સૌરાષ્‍ટ્રમાં મતદાન યોજાશે તેથી મતદાનના દિવસે કંપની કર્મચારીઓ, કામદારો વધુમાં વધુ મતદાન કરી શકે એ માટે રાજ્‍ય સરકારે તો જાહેર રજાની જાહેરાત કરી દીધી છે છતાંય સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક વસાહતોની 15 હજાર ઉપરાંત ઈન્‍ડસ્‍ટ્રીઝએ મતદાનના દિવસે અર્ધ કે સંપૂર્ણ રજાની જાહેરાત કરી છે તે સાથે વાપી ઔદ્યોગિક વસાહત માટે વી.આઈ.એ. પણ વસાહતના ઉદ્યોગકારોને મતદાનના દિવસે રજા રાખવાની અપીલ કરી છે.
ગુજરાતની સામાન્‍ય ચૂંટણીમાં સમગ્ર નાગરિક સમુદાય મતદાન કરી શકે તેમાં કંપની કર્મચારી-કામદારો વંચિતના રહી જાય તે માટે અંકલેશ્વર, પાનોલી, સુરત પાંડેસરા તેમજ વલસાડ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોના એસોસિએશન દ્વારા મતદાનના દિવસે રજા રાખવાનો નિર્ણય લીધો છે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલએ પણ જણાવ્‍યું હતું કે, 01 ડિસેમ્‍બરે મતદાનના દિવસે મતદાન હેતુ માટે કર્મચારી-કામદારોની વસાહતમાં રજા રાખવા માટે ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ઈમેઈલથી જાણ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ એસોસિએશનો પણ જોડાયેલ છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

Leave a Comment