April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

વાપી શહેર-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં યુવાનો પોતાના વાહનોથી મુક શ્વાનોને લાડવા પીરશશે : 250 બોક્ષ લાડુનું વિતરણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી તા.14-15 જાન્‍યુઆરીના રોજ વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યમાં ઉત્તરાયણ પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણ પર્વનો માત્ર-પતંગ ઉડાવવાનો મહિમા નથી ધાર્મિક મહિમા પણ એટલો જ સંકલાયેલો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌથી વધારે જીવદયાની માનવતા ભરી સેવા અને પ્રવૃત્તિઓ પણ લોકો દૃઢતા આસ્‍થા પૂર્વક કરે છે. વાપી રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણ પર્વે સ્‍વે. જીવદયા પૂર્વની પણ દબદબાપૂર્વક ઉજવણીમાં હજારો ગાયોનું પૂજન કરી ઘાસ વિતરણ ધાર્મિકજનો મોટી સંખ્‍યામાં કરે છે. બસ આજ પરંપરાનું ઝરણું વાપી મહેસાણા યુથ મંડળ 1992થી વહાવી રહેલ છે. પ્રત્‍યેક ઉત્તરાયણ પર્વે શ્વાન માટે ઘર આંગણે લાડુ બનાવીને વાપી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પોતાના વાહનોમાં લાડવાના બોક્ષ ભરીને મુંગા જીવોને લાડુ ખવડાવવાની કામગીરી કરશે. આગામી તા.14 જાન્‍યુઆરીથી લાડુ વિતરણ કામગીરી શરૂ થઈ જશે.
વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા આ વર્ષે પણશ્વાન માટે લાડુ બનાવવાની કામગીરીનો આરંભ અંબિકા સોસાયટીમાં આજે કર્યો હતો. ઘી, ગોળ, આટો મળી કુલ 800 કિલોના જથ્‍થાથી લાડુ બનાવાઈ રહ્યા છે. 250 જેટલા બોક્ષમાં લાડુ ભરીને યુવા સંગઠન બે દિવસમાં વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઉદવાડા અને સરીગામ સુધી શ્વાનોને રૂબરૂ પહોંચી લાડુ પીરશશે. માનવતાની આ મિશાલ ભરી કામગીરી મહેસાણાના યુવાનો અવિરત 1992થી કરતા આવ્‍યા છે.

Related posts

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

Leave a Comment