વાપી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો પોતાના વાહનોથી મુક શ્વાનોને લાડવા પીરશશે : 250 બોક્ષ લાડુનું વિતરણ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: આગામી તા.14-15 જાન્યુઆરીના રોજ વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણ પર્વનો માત્ર-પતંગ ઉડાવવાનો મહિમા નથી ધાર્મિક મહિમા પણ એટલો જ સંકલાયેલો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌથી વધારે જીવદયાની માનવતા ભરી સેવા અને પ્રવૃત્તિઓ પણ લોકો દૃઢતા આસ્થા પૂર્વક કરે છે. વાપી રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણ પર્વે સ્વે. જીવદયા પૂર્વની પણ દબદબાપૂર્વક ઉજવણીમાં હજારો ગાયોનું પૂજન કરી ઘાસ વિતરણ ધાર્મિકજનો મોટી સંખ્યામાં કરે છે. બસ આજ પરંપરાનું ઝરણું વાપી મહેસાણા યુથ મંડળ 1992થી વહાવી રહેલ છે. પ્રત્યેક ઉત્તરાયણ પર્વે શ્વાન માટે ઘર આંગણે લાડુ બનાવીને વાપી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના વાહનોમાં લાડવાના બોક્ષ ભરીને મુંગા જીવોને લાડુ ખવડાવવાની કામગીરી કરશે. આગામી તા.14 જાન્યુઆરીથી લાડુ વિતરણ કામગીરી શરૂ થઈ જશે.
વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા આ વર્ષે પણશ્વાન માટે લાડુ બનાવવાની કામગીરીનો આરંભ અંબિકા સોસાયટીમાં આજે કર્યો હતો. ઘી, ગોળ, આટો મળી કુલ 800 કિલોના જથ્થાથી લાડુ બનાવાઈ રહ્યા છે. 250 જેટલા બોક્ષમાં લાડુ ભરીને યુવા સંગઠન બે દિવસમાં વાપી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઉદવાડા અને સરીગામ સુધી શ્વાનોને રૂબરૂ પહોંચી લાડુ પીરશશે. માનવતાની આ મિશાલ ભરી કામગીરી મહેસાણાના યુવાનો અવિરત 1992થી કરતા આવ્યા છે.