July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

ગ્રામ પંચાયતમાંથી રૂપાંતરિત થયેલી ઉમરગામ પાલિકાના આજના જન્‍મદિવસ નિમિત્તે કાઉન્‍સિલરોએ કેક કાપી કરેલી ઉજવણી અને પ્રથમ પ્રમુખ તરીકે સન્‍માનિત હોદ્દો હાંસલ કરનાર પૂર્વ પ્રમુખ સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટરનું કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ પાલિકાએ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્‍થિતિ અને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલના અધ્‍યક્ષતા હેઠળ અકરા મારુતિ તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મિટ્ટી કો નમન વીરો કો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાના સ્‍વતંત્ર સેનાનીઓને યાદ કરી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આઝાદીની લડાઈમાં અને દેશની સેવામાં આપેલા યોગદાનને બિરદાવી હતી. સ્‍વતંત્ર સેનાનીઓની તક્‍તિના અનાવરણ માટે ઉપસ્‍થિત રહેલા ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે આ કાર્યક્રમ અંતર્ગત દેશની જનતામાં દેશ પ્રત્‍યે લાગણી અને જાગૃતિ લાવવાના રહેલા ઉદ્દેશ વિશે સમજણ આપીહતી.
આજના દિવસ ઉમરગામ પાલિકાને તારીખ 11/8/2005 ના રોજ ગ્રામ પંચાયતમાંથી રૂપાંતરિત કરી પાલિકાનો દરજ્‍જો આપવામાં આવ્‍યો હતો. જેની ખુશીમાં ઉમરગામ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી પાલિકાના જન્‍મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ પાલિકામાં પ્રથમ પ્રમુખ તરીકે મહત્‍વનો હોદ્દો હાંસલ કરનાર પૂર્વ પ્રમુખ અને ભાજપા અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટરને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોશી, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિત પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ, અને નગરજનોની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

Leave a Comment