54 વર્ષિય ધીરેન્દ્ર સિંગ મુન્નીસીંગ 6 નવેમ્બરે ઘરે ગાયને રોટલી નાખવાનું કહી નિકળ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા ખાતે રહેતા કલર કોન્ટ્રાક્ટરનું કામકાજ કરતા 54 વર્ષિય આધેડ ઘરેથી ગુમ થયા બાદ એક મહિના બાદ છીરીમાં કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી લાશ મળી આવી છે.
વાપી છરવાડા રાજ સફાયર બિલ્ડીંગના ફલેટ નં.308માં રહેતા 54 વર્ષિય ધીરેન્દ્રસિંહ મુન્નીસીંગ મૂળ રહે.બિહાર ગત તા.06 નવેમ્બરના રોજ સાંજે 5 વાગે ઘરેથી ગાયને રોટલી નાખવા જાઉં છું કહી નિકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારે શોધખોળને અંતેડુંગરા પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ આરંભી દીધી હતી તે દરમિયાન 3 ડિસેમ્બરના રોજ એકાદ મહિના પછી છીરીમાં નવનિર્માણ થઈ રહેલ એક ઈમારતના પહેલા ગાળામાંથી તેમની લાશ મળી હતી. ધીરેન્દ્રસીંગ કલર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા હતા. મજુરોને પેમેન્ટ આપવાની આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનું મનાઈ રહ્યું છે. પરંતુ પરિવાર તપાસમાં ખાસ સહયોગ નથી કરી રહ્યો. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.