February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સીલી ગામે ચોકીપાડા ગામમાં સેલવાસ મામલતદારની ટીમે સ્‍થળ પર પહોંચી 25 જેટલી દુકાનો, 12 રૂમ અને બે ઘર જે ગેરકાયદેસર બાંધવામાં આવેલ હતા, જેને જેસીબી મશીન દ્વારા તોડી પાડી ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું જેને સેલવાસ મામલતદારની ટીમે ધ્‍વંસ્‍ત કરી દીધું હતું. જેમાં 8 દુકાનદારોએ ગેરકાયદેસર કબ્‍જો કરેલ હતો અને એક ઢાબાનું પણ નિર્માણ કરાયેલ હતું તેને પણ તોડી નાંખ્‍યાહતા.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે સરકારી જમીન, કોતર અને નહેર તથા અન્‍ય સરકારી જગ્‍યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ/કબ્‍જો નહીં કરે અને બાંધકામ કર્યું હોય તો એને પોતે જ સ્‍વંય હટાવી દે નહિ તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

Leave a Comment