July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સીલી ગામે ચોકીપાડા ગામમાં સેલવાસ મામલતદારની ટીમે સ્‍થળ પર પહોંચી 25 જેટલી દુકાનો, 12 રૂમ અને બે ઘર જે ગેરકાયદેસર બાંધવામાં આવેલ હતા, જેને જેસીબી મશીન દ્વારા તોડી પાડી ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું જેને સેલવાસ મામલતદારની ટીમે ધ્‍વંસ્‍ત કરી દીધું હતું. જેમાં 8 દુકાનદારોએ ગેરકાયદેસર કબ્‍જો કરેલ હતો અને એક ઢાબાનું પણ નિર્માણ કરાયેલ હતું તેને પણ તોડી નાંખ્‍યાહતા.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે સરકારી જમીન, કોતર અને નહેર તથા અન્‍ય સરકારી જગ્‍યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ/કબ્‍જો નહીં કરે અને બાંધકામ કર્યું હોય તો એને પોતે જ સ્‍વંય હટાવી દે નહિ તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah

Leave a Comment