(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશદ્વારા આંબેડકર નગર સેલવાસ ખાતે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શુકલા, ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારિકાનાથ પાંડે, અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ આનંદ સાવરે, જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલ પાટીલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.