(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેલવાસ બાલાજી મંદિર મેદાન ખાતે શૌર્ય દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. આ બાઈક રેલી બાલાજી મંદિરથી પ્રારંભ કરી સેલવાસના વિવિધ વિસ્તારમાં ફરી પરત બાલાજી મંદિર પર આવી હતી. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.