December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: વલસાડમાં ઉપરવાસમાં સતત મૂશળાધાર પડી રહેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મેળવવા નર્મદા જળ સંપત્તિ, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને પાણી પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાબડતોડ વલસાડ આવીને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસા અધિકારીશ્રી મનીષ ગુરવાની સાથે પરામર્શ કરી જિલ્લા વહીવટી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત શહેરના નીચાણવાળા વિસ્તારો બરૂડિયાવાડ, કાશ્મીર નગર, તરિયાવાડ, કોસંબા, હનુમાન ભાગડા અને છીપવાડ દાણાબજારની પરિસ્થિતિથી વાકેફ થયા હતા. .
ત્યારબાદ મંત્રીશ્રીએ વલસાડ પારડી સ્થિત રામલલ્લા મંદિર ખાતેના પૂર અસરગ્રસ્તો માટેના આશ્રયસ્થાનની મુલાકાત લઈ રેહવા, જમવા અને પાણીની વ્યવસ્થા વિશે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થાઓ કરવા સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ વાંકી નદીના પૂરથી અસરગ્રસ્ત કોસંબા વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્રની વ્યવસ્થાનો તાગ મેળવી લોકોને મુશ્કેલ સમયમાં સધિયારો આપ્યો હતો. બાદમાં મંત્રીશ્રીએ ઔરંગા નદીના પૂરથી અસરગ્રસ્ત તરિયાવાડ વિસ્તારમાં એનડીઆરએફ સાથે વલસાડ અને ધરમપુરના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા સાથે બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત લોકોને ભોજનની વ્યવસ્થા બરાબર છે કે નહીં એની માહિતી મેળવી લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહીને પગલે પરિસ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે રીંગણવાડા વિસ્‍તારમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment