October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: વલસાડમાં ઉપરવાસમાં સતત મૂશળાધાર પડી રહેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મેળવવા નર્મદા જળ સંપત્તિ, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને પાણી પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ તાબડતોડ વલસાડ આવીને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસા અધિકારીશ્રી મનીષ ગુરવાની સાથે પરામર્શ કરી જિલ્લા વહીવટી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત શહેરના નીચાણવાળા વિસ્તારો બરૂડિયાવાડ, કાશ્મીર નગર, તરિયાવાડ, કોસંબા, હનુમાન ભાગડા અને છીપવાડ દાણાબજારની પરિસ્થિતિથી વાકેફ થયા હતા. .
ત્યારબાદ મંત્રીશ્રીએ વલસાડ પારડી સ્થિત રામલલ્લા મંદિર ખાતેના પૂર અસરગ્રસ્તો માટેના આશ્રયસ્થાનની મુલાકાત લઈ રેહવા, જમવા અને પાણીની વ્યવસ્થા વિશે માહિતી મેળવી જરૂરી વ્યવસ્થાઓ કરવા સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ વાંકી નદીના પૂરથી અસરગ્રસ્ત કોસંબા વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્રની વ્યવસ્થાનો તાગ મેળવી લોકોને મુશ્કેલ સમયમાં સધિયારો આપ્યો હતો. બાદમાં મંત્રીશ્રીએ ઔરંગા નદીના પૂરથી અસરગ્રસ્ત તરિયાવાડ વિસ્તારમાં એનડીઆરએફ સાથે વલસાડ અને ધરમપુરના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા સાથે બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત લોકોને ભોજનની વ્યવસ્થા બરાબર છે કે નહીં એની માહિતી મેળવી લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહીને પગલે પરિસ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Related posts

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

vartmanpravah

Leave a Comment